ઘાસચારા કૌભાંડ: લાલુ પ્રસાદ યાદવને શુક્રવારે મળશે સજા
ઘાસચારા કૌભાંડમાં શુક્રવારે લાલુ પ્રસાદ યાદવ સમેત 15 લોકોને રાંચીની વિશેષ અદાલત સજા સંભળાવશે. જાણો આ અંગે વધુ વિગતવાર અહીં.
ઘાસચારા કૌભાંડના દોષી તેવા લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ આજે રાંચીની વિશેષ અદાલત ગુરુવારે સજા સંભળાવાની હતી. પણ હવે આ મામલે શુક્રવારે નિર્ણય થશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇની વિશેષ અદાલત લાલુને આ મામલે પહેલા જ દોષી જાહેર કરી ચૂકી છે. અને લાલુની સાથે આ કેસના દોષી અન્ય 15 લોકો હાલ કોર્ટમાં હાજર થઇ ગયા છે. કોર્ટમાં આજે લાલુ યાદવ અને સીબીઆઇના જજ વચ્ચે બોલચાલ પણ થઇ. નોંધનીય છે કે બુધવારે જ આ નિર્ણયની જાહેરાત થવાની હતી. પણ વરિષ્ઠ વકીલની મૃત્યુના કારણે અને શોકસભાના આયોજનને કારણે બુધવારના બદલે ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પણ ભલે કોર્ટે નિર્ણય ના સંભળાવ્યો હોય પણ લાલુ પ્રસાદ યાદવ સમેત તેમના સમર્થકોની મોટી ભીડ પણ કોર્ટમાં પહોંચી હતી.

નોંધનીય છે કે લાલુ પ્રસાદ યાદવ પર સીબીઆઇની વિશેષ કોર્ટે 23 ડિસેમ્બરના રોજ ઘાસચારા કૌભાંડ મામલે દેવઘર તિજોરીથી અવૈધ નિર્ગમન કરવા મામલે દોષી જાહેર કર્યા છે. લાલુ પ્રસાદ યાદવ પર કોર્ટને કલમ 420, 120 બી અને પીસી એક્ટની કલમ 13 (2) લગાવી તેમને દોષી જાહેર કર્યા છે. તેમાં લાલુ પ્રસાદ યાદવના વકીલ જ્યાં તેમને ઓછામાં ઓછી સજા મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યાં જ સીબીઆઇનો પ્રયાસ હશે કે આ મામલે તેમને વધુમાં વધુ કડક સજા સંભળાવવામાં આવે.
શું છે મામલો?
નોંધનીય છે કે વર્ષ 1994 થી 1996 વચ્ચે દેવઘર જિલ્લા તિજોરીથી ખોટી રીતે ફંડ નીકાળવામાં આવ્યું હતું. 21 વર્ષ જૂના આ મામલે સીબીઆઇએ શરૂઆતમાં 34 લોકોને આરોપી જાહેર કર્યા હતા. તેમાંથી 11 લોકોની ટ્રાયલ દરમિયાન જ મોત થઇ ગઇ હતી. બે આરોપી સરકારી ગવાહ બની નિર્ણય પહેલા જ પોતાનો દોષ સ્વીકારી લીધો હતો. લાલુ પર આરોપ હતો કે તેને આ સમગ્ર મામલાની સંપૂર્ણ પણે જાણ હતી. અને તેમ છતાં તેણે આ અંગે કોઇ કાર્યવાહી ના કરી.
ખાવાનું દુખ છે લાલુને
ઘાસચાર કૌભાંડ મામલે દોષી જાહેર થયા પછી રાંચીના બિરસા મુંડા જેલમાં મોકલવામાં આવેલ રાજદ અધ્યક્ષ લાલુ યાદવની સ્વાસ્થય અને તેમના ખાવા પીવાની સમસ્યાને લઇને તેમનો પરિવાર પહેલાથી જ ચિંતામાં છે. તેમની પત્ની અને બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ બુધવારે જ જેલમાં લાલુને તેમનું ભાવતું મનપસંદ અરવા ચાવલ, ઘી, દાળ મોકલ્યું હતું. કારણ કે શનિવારથી લાલુ સતત જેલના ખાવાને લઇને ફરિયાદ કરી રહ્યા છે. અને બીજી તરફ લાલુના નજીકના સગાઓ તેમને જેલમાં ખાવાનું પહોંચાડી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
