સોનિયા, રાહુલ લોકસભામાં બનવા નથી માંગતા વિપક્ષના નેતા
નવી દિલ્હી, 20 મે : લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસ પાર્ટીને મળેલી હાર બાદ માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતાનું પદ લેવા માંગતા નથી.
આ કારણે કોંગ્રેસના સૌથી વરિષ્ઠ સાંસદ કમલનાથ સંસદમા વિપક્ષના નેતા બને તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.
કમલનાથ વિપક્ષના નેતા બની શકે છે. જો લોકસભા અધ્યક્ષ નિયમોમા છૂટ આપે છે અથવા સંપૂર્ણ યુપીએને એક એકમની માન્યતા આપવામાં આવી છે જેના કુલ સભ્ય 56 છે.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી છે. મુખ્ય વિપક્ષી દળની માન્યતા પ્રાપ્ત કરવા માટે કોઇ પાર્ટીની પાસે 543 સભ્યોની લોકસભામાં ઓછામાં ઓછી 10 ટકા સભ્યસંખ્યા એટલે કે 55 સભ્યો હોવા જોઇએ.
જો કે આ જરૂરિયાત અંગે કશું જ બંધારણીય નથી. લોકસભા અધ્યક્ષ તેને હટાવી શકે છે. એવી પણ ધારણા છે કે અન્નાદ્રમુક અને તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષના નેતા પદનો દાવો કરવા માટે સાથે આવી શખે છે. તેમની સીટોની સંખ્યા ક્રમશ: 37 અને 34 છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
