મનરેગાનું બજેટ ઘટાડવા પર સોનિયા ગાંધી વિફર્યા તો, અનુરાગ ઠાકુરે આપ્યો જવાબ
ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગા યોજનાના બજેટમાં કાપ મૂકવાના સરકારના નિર્ણયની ટીકા કરી છે.
નવી દિલ્હી, 31 માર્ચ : ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગા યોજનાના બજેટમાં કાપ મૂકવાના સરકારના નિર્ણયની ટીકા કરી છે. ગુરુવારના રોજ લોકસભામાં બોલતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન મનરેગા યોજના રોજગાર માટે ગરીબોનો સહારો બની હતી, આવી સ્થિતિમાં આ યોજનાનું બજેટ ઘટાડવું યોગ્ય નથી. તેમણે સરકારને મનરેગા હેઠળ કામ કરવા માટે 15 દિવસમાં વેતન આપવા સહિત ઘણા સૂચનો પણ કર્યા છે.

આ વર્ષે મનરેગાનું બજેટ વર્ષ 2020 કરતા 35 ટકા ઓછું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, મનરેગાની કેટલાક વર્ષો પહેલા ઘણા લોકો દ્વારા ઉપહાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ યોજનાએકોરોના અને લોકડાઉન દરમિયાન કરોડો અસરગ્રસ્ત ગરીબ પરિવારોને મદદ કરી છે.
આમ છતાં મનરેગા માટે બજેટની ફાળવણીમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યોછે. આ વર્ષે મનરેગાનું બજેટ વર્ષ 2020 કરતા 35 ટકા ઓછું છે, જ્યારે બેરોજગારી સતત વધી રહી છે.

ગ્રામસભાના સામાજિક ઓડિટ સાથે પણ બાંધછોડ ન કરવી જોઈએ
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, બજેટમાં કાપને કારણે કામદારોની ચૂકવણીમાં વિલંબ થાય છે, જેને સુપ્રીમ કોર્ટે બોન્ડેડ લેબર તરીકે ગણી છે. હું કેન્દ્ર સરકારને વિનંતીકરું છું કે મનરેગા માટે યોગ્ય ફાળવણી કરવામાં આવે.
આ સાથે કામના 15 દિવસની અંદર કામદારોને વેતનની ચૂકવણી સુનિશ્ચિત કરવી જોઈએ. જો વેતન ચૂકવવામાંવિલંબ થાય, તો કાયદેસર રીતે વળતર આપવાનું સુનિશ્ચિત કરવું જોઈએ.
આ સાથે રાજ્યોની વાર્ષિક એક્શન પ્લાન કોઈપણ વિલંબ કર્યા વગર તરત જ નક્કી કરવામાંઆવે. સોનિયા ગાંધીએ કહ્યું કે, ગ્રામસભાના સામાજિક ઓડિટ સાથે પણ બાંધછોડ ન કરવી જોઈએ.

સરકારે આપ્યો આવો જવાબ
સોનિયા ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે મનરેગાના જિયોટેગિંગ પર કામ કર્યું છે. હવે પૈસા સીધામનરેગા કામદારોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.
તેમણે કહ્યું કે, 2013-14 સુધી જે બજેટ નક્કી કરવામાં આવ્યું હતું તેનો ઉપયોગ પણ થયો ન હતો, પરંતુ મોદીસરકારે એક વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ આપ્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, સોનિયા ગાંધીએ જે વાતો મૂકી છે તે હકીકતથી ઘણી દૂર છે.
2013-14 માં બજેટ માત્ર 33 હજાર કરોડ હતું, જે એક લાખ 12 હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે અનુરાગ ઠાકુર મનરેગાના મુદ્દે સોનિયા ગાંધીને જવાબ આપીરહ્યા હતા, ત્યારે કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં વાંધો ઉઠાવ્યો હતો અને વિરોધ કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
