સુરજેવાલે કહ્યું- CWC ની બેઠકમાં સોનિયા અને રાહુલ સામેલ થશે
હવે આગળના કોંગ્રેસ પ્રમુખ નક્કી કરવા માટે થનારી કોંગ્રેસ વર્કિંગ સમિતિ (સીડબલ્યુસી)ની બેઠકની તારીખ નક્કી નથી
હવે આગળના કોંગ્રેસ પ્રમુખ નક્કી કરવા માટે થનારી કોંગ્રેસ વર્કિંગ સમિતિ (સીડબલ્યુસી)ની બેઠકની તારીખ નક્કી નથી, પરંતુ આ બેઠકને લઈને ચાલી રહેલી સૌથી મોટી અટકળને પાર્ટીના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ નકારી છે અને સ્પષ્ટતા કરી છે કે CWC આગામી બેઠક જ્યારે પણ યોજાશે ત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ચોક્કસપણે સામેલ થશે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી હજી કોંગ્રેસના અધ્યક્ષ છે અને પાર્ટી ઇચ્છે છે કે તેઓ આ પદ પર રહે.
આ પણ વાંચો: અમારી સરકાર બિલકુલ સુરક્ષિત છે: સીએમ કુમારસ્વામી

રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી બેઠકમાં સામેલ થયા નહીં
તમને જણાવી દઈએ કે શનિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નવા અધ્યક્ષની ચૂંટણી માટે બેઠક યોજી હતી, બેઠકનો વિશેષ મુદ્દો એ છે કે રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધીને આ બેઠકમાં સામેલ થયા નથી. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસના અધ્યક્ષ માટેના સંભવિત નામો પર ચર્ચા ટોપ-લેવલ મીટિંગમાં કરવામાં આવી છે.

શિંદે કે ખડગે...કોણે મળશે કમાન
સૂત્રોએ છેલ્લા અઠવાડિયે સૂચવ્યું હતું કે કોંગ્રેસ સુશીલકુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે નવા પાર્ટીના અધ્યક્ષ તરીકેની પસંદગી કરી શકે છે. શનિવારે યોજાયેલી ટોપ-લેવલ મીટિંગમાં આનંદ શર્મા, અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, પી ચિદમ્બરમ, દીપેન્દ્ર હુડ્ડા અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ થયા છે. રાહુલ ગાંધીએ પહેલેથી જ કહ્યું છે કે તેઓ નવા પ્રમુખની ચૂંટણીમાં કોઈ ભૂમિકા નથી ઇચ્છતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યું રાજીનામું લખ્યો ઓપન લેટર
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યા પછી ઓપન લેટર પણ જાહેર કર્યો હતો. આ ઓપન લેટરમાં, રાહુલ ગાંધીએ લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવું એ મારા માટે સન્માનની વાત હતી. તેમણે 2019 ની લોકસભાની ચૂંટણીમાં પક્ષની હારનો સંદર્ભ આપતા લેટરમાં લખ્યું હતું કે \" અધ્યક્ષ તરીકે હાર માટે હું જવાબદાર છું. તેથી, હું અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે આગળ લખ્યું હતું કે જ્યાં પણ પાર્ટીને મારી જરૂર પડશે, ત્યાં હું હાજર રહીશ.

કોઈ યુવાના હાથમાં પાર્ટીની કમાન!
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીના નવા અધ્યક્ષનો નિર્ણય એક અઠવાડિયામાં નક્કી કરવામાં આવશે. આ દરમિયાન, શનિવારે પંજાબના કેપ્ટન અમરિન્દર સિંહે પાર્ટીની કમાન કોઈ યુવાને સોંપવાની હિમાયત કરી છે. શનિવારે, અમરિન્દર સિંહે ટ્વિટ કરી હતી કે રાહુલ ગાંધીના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ છોડવાના દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય પછી હવે કોઈ ગતિશીલ યુવા નેતાએ કોંગ્રેસની કમાન સાંભળવી જોઇએ.












Click it and Unblock the Notifications
