ઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત
ઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપ પાર્ટીની શાનદાર જીત બાદ પીએમ મોદીના નેતૃત્વમાં નવી સરકારે કમાન સંભાળી લીધી છે. આ દરમિયાન 17મી લોકસભાનું પહેલું સંસદ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું. સત્રના પહેલા દિવસે ચૂંટાઈને આવેલ સભ્યોએ સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા. AIMIMના અધ્યક્ષ ઓવૈસીએ પણ શપથ ગ્રહણ કર્યા. જે સમયે ઓવૈશી શપથ ગ્રહણ કરી રહ્યા હતા ત્યારે અચાનક લોકસભામાં સત્તાધારી પાર્ટીના કેટલાક સાંસદોએ જય શ્રી રામ અને વંદે માતરમના નારા લગાવવા શરૂ કરી દીધા. આ નારેબાજી પર એઆઈએમઆઈએમ સાંસદે સંસદ પરિસરમાં પોતાના વાત રાખી.

જય શ્રી રામના નારા લાગ્યા
સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અસાદુદ્દીન ઓવૈસી લોકસભામાં પોતાની સીટ પરથી ઉઠીને શપથ લેવા માટે વેલમાં આવ્યા. આ દમરિયાન સત્તાધારી પાર્ટીના કેટલાક સાંસદોએ જય શ્રી રામ અને વંદે માતરમના નારા લગાવવા શરૂ કરી દીધા. જો કે ઓવૈસીએ પણ આ દરમિયાન બંને હાથ ઉપર ઉઠાવ્યા અને જોરથી નારા લગાવવા ઈશારો કર્યો. એટલું જ નહિ જ્યારે ઓવૈસીએ શપથ લઈ લીધા તો તેમણે પણ જયભીમ, જય ભીમ, અલ્લા-ઓ-અકબર, જય હિંદના નારા લગાવ્યા હતા.
|
ઓવૈસીએ કહી આ વાત
બાદમાં સંસદ ભાવન પરિસરમાં જ્યારે તેમને શપથ ગ્રહણ દરમિયાન જય શ્રી રામના નારાને લઈ સવાલ કરવામાં આવ્યો તો ઓવૈસીએ કહ્યું કે આ સારું છે કે તેઓ જ્યારે મને જુઓ છે ત્યારે તેમને આવી ચીજો યાદ આવે છે, મને ઉમ્મીદ છે કે તેઓ સંવિધાન અને મુઝફ્ફરપુરમાં બાળકોના મૃત્યુને પણ યાદ કરશે. ઓવૈસી હૈદરાબાદથી સાંસદ ચૂંટાઈને આવ્યા છે.
|
ભગવંત માને પણ લગાવ્યો ઈંકલાબ જિન્દાબાદનો નારો
પંજાબના સંગરુરથી ચૂંટાઈને આવેલ આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને પંજાબીમાં શપથ ગ્રહણ કર્યા. શપથ લીધા બાદ તેમણે ઈંકલાબ જિન્દાબાદના નારા લગાવ્યા. જો કે તેમના આ પ્રકારે શપથ ગ્રહણ સંપન્ન કરવા પર કેટલાક સાંસદોએ વાંધો ઉઠાવ્યો. જણાવી દઈએ કે ભગવંત માન આમ આદમી પાર્ટીના એકમાત્ર સાંસદ છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 4 સીટ પર જીત હાંસલ કરી હતી.
|
હેમા માલિનીએ કહ્યું રાધે રાધે
ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના મથુરા લોકસભા સીટ પરથી સાંસદ હેમા માલિનીએ શપથ ગ્રહણ કર્યું. તેમણે પોતાના શપથ ગ્રહણ રાધે-રાધે, કૃષ્ણમ વંદે, જગદ ગુરુ કહી સંપન્ન કર્યા. અભિનેતાથી સાંસદ બનેલ સની દેઓલે લોકસભામાં અંગ્રેજીમાં શપથ ગ્રહણ કર્યા. લોકસભા ચૂંટણીના કેટલાક દિવસ પહેલા ભાજમાં સામેલ થયેલ સની દેઓલે ગુરુદાસપુરથી કોંગ્રેસના સુનીલ જાખડને હરાવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
