મહારાષ્ટ્રમાં રાજીનામા પછીનો અસલી ખેલ હવે શરૂ થશે?
મહારાષ્ટ્રમાં રાજીનામા પછીનો અસલી ખેલ હવે શરૂ થશે?
મહારાષ્ટ્રની રાજનીતિમાં અચાનક અવનવા રાજકીય સમીકરણ રચાયા છે. સ્થિર ચાલતી શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકારમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે દ્વારા મોટો રાજકીય અપસેટ સર્જ્યો છે. 34 જેટલા બળવાખોર ધારાસભ્યોની મદદથી શિવસેનાની સરકાર પાડી દેવામાં આવી અને આખરે મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપવાની નોબત આવી છે. મહારાષ્ટ્રનો મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો અને ત્યાં સુપ્રીમ કોર્ટે પણ બે અલગ અલગ બાબતોમાં વિરોધાભાષી નિર્ણય આપી, કાયદા નિષ્ણાતોને પણ ચોકાવી દીધા છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરે સરકારને બહુમત સાબિત કરવા 30 જૂનનો સમય આપ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં, સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના આદેશને માન્ય રાખતાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. પરંતું, હવે જ મોટો રાજકીય પ્લાન ઉભો થવાની સંભાવના રાજકીય નિષ્ણાતો જોઇ રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેના રાજીનામાંના કારણે હવે નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસની શક્યતા વધુ જોવા મળી રહી છે. જો, કોઇ નવો ચહેરો જોવા મળે તો પણ હવે શિવસેના સત્તાપક્ષમાં નહી હોય એ નિશ્ચિત છે. નવા મુખ્યમંત્રીને સદનમાં બહુમત સાબિત કરવાની જવાબદારી રહેશે. જેમાં, શીવસેના સરકારની વિરુદ્ધ મત આપવા વ્હીપ આપી શકે છે. જેમાં વિરુદ્ધ જનાર ધારાસભ્યો પક્ષાંતર વિરોધી કાયદા મુજબ ગેરલાયક ઠરી શકે છે. જો, આ તમામ ધારાસભ્યો ગેરલાયક ઠરે તો ભાજપ ફરીથી બહુમતી ગુમાવી દેશે.
ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું ફરીથી શીવસેના સૈનિકોમાં સહાનુભૂતિનું મોજૂ ઉભુ કરી શકે છે. જો આમ, થાય તો આ બળવાખોર ધારાસભ્યોને ફરીથી જીતવું કઠીન સાબિત થઇ શકે છે.
વિધાનસભા સદનમાં ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું આપી ઉદ્ધવ ઠાકરેએ મોટી રાજકીય ગેમ ખેલી છે. જેમાં, હવે પક્ષ સામે બળવો કરનાર ધારાસભ્યો સપડાયા છે, તેમની સામે હવે ભાજપમાં પ્રવેશ કરવા સિવાય કે વ્હીપના અનાદર બદલ કાર્યવાહીનો સામનો કરવા સિવાય વિદ્રોહનો કોઇ રસ્તો બચ્યો નથી. જેથી, જો હવે બળવાખોરો શિવસેનામાં પરત ફરે તો નવા મુખ્યમંત્રી બહુમત પુરવાર ન પણ કરી શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
