નિતિશ સામે શિવાનંદનો 'મોદીરાગ', જેડીયૂમાં હડકંપ
પટણા, 29 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલી પર હજુ સુધી ખેંતમચાણ ચાલુ છે. તો બીજી તરફ જેડીયૂ નેતા શિવાનંદ તિવારીએ પોતાને નરેન્દ્ર મોદી પ્રશંસક ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવતાં તેમના વિરૂદ્ધ નારેબાજી થઇ હતી. શિવાનંદ તિવારીએ રાજગીરમાં ચાલી રહેલી પાર્ટીની ચિંતન શિબિરમાં નરેન્દ્ર મોદી પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેમના વિરૂદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે શિબિરના પરિણામો સારા રહ્યાં નથી.
શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે 'હું ઇમાનદારી પૂર્વક કહેવા માંગું છું કે હું નરેન્દ્ર મોદીનો પ્રશંસક છું. કેમ પ્રશંસક છું, કારણ કે તેમને જે પ્રકારે સંઘર્ષ કરીને આવ્યા છે તે સાધારણ વાત નથી. તે આપણા વિરોધી છે. આપણે તેમના વિરૂદ્ધ લડીશું. એટલા માટે તેમની તાકતને ઓળખવી જોઇએ. આપણને તેમનાથી ડર લાગે છે. કેમ ડર લાગે છે, કારણ કે આરએસએસના સિદ્ધાંત તેમની નસ-નસમાં છે. તેમની તાકાતને આપણે નકારી ન શકીએ.

શિવાનંદ તિવારીએ મંચ પર નીતિશ કુમાર અને શરદ યાદવની હાજરીમાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાનું શરૂ કરી દિધું હતું તો કેટલાક નેતાઓએ તેમના વિરૂદ્ધ નારેબાજી શરૂ કરી દિધી હતી. તેમને જવાબ આપતાં શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે 'હું મારી જાતને પણ ઓળખું છું અને તમને પણ ઓળખું છું.
વધુ એક નેતા તથા જેડીયૂ સરકારમાં મંત્રી નરેન્દ્ર સિંહએ પણ મંચ પરથી નીતિશની કાર્યશૈલી પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું હતું કે પાર્ટીમાં પરસેવો પાડનારની અવગણના કરવામાં આવી છે અને દરબાર લગાવનારાઓને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે. નરેન્દ્ર સિંહે તો ત્યાં સુધી કહી દિધું હતું કે 'જો મને સસ્પેંડ કરવામાં આવશે હું સસ્પેંશન માટે તૈયાર છું, પરંતુ મારે જે કહેવું છે તે કહીને જ રહીશ.
શિવાનંદ તિવારીના આ નિવેદન બાદ ભાજપના નેતા ગિરિરાજ સિંહે તાત્કાલિક કહી દિધું હતું કે તેમના માટે ભાજપના દરવાજા ખુલ્લા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
