શિવ સેના ભદ્રાવતીમાં 'બાલ ઠાકરેનું મંદિર' બનાવશે

આ અંગે વાત કરતા શિવ સેનાના જિલ્લા પ્રમુખ બાલુ ધાનોરકરે જણાવ્યું છે કે "મંદિરોની નગરી ગણાતા ભદ્રાવતીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બાલા સાહેબ ઠાકરેનું એક મંદિર નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરખાસ્તને શિવ સેનાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ઉદ્ધવ ઠાકરેની મંજૂરી મળી ગઇ છે. આથી મંદિર નિર્માણ માટે કરવી પડતી કાયદાકીય પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે."
મંદિરની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું કે મંદિર પાંચ એકર જમીનમાં ફેલાયેલું હશે. મંદિરમાં બગીચા ઉપરાંત, વાંચનાલય, કોમ્યુનિટી હોલ અને શિવ સેના સુપ્રીમોની તસવીરગાથા કહેતું એક કાયમી પ્રદર્શન તૈયાર કરવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 2 કરોડનો ખર્ચ થવાની ગણતરી કરવામાં આવી છે. આ માટેનું ભંડોળ શિવ સેનાના ધારાસભ્યો, કોર્પોરેટર્સ અને સાંસદો તથા અન્ય રાજકીય આગેવાનો પાસેથી મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષથી સિવિક બોડીમાં શિવ સેના શાસક પક્ષ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
