જયા બચ્ચનથી ખુશ શિવસેનાએ સામનામાં લખ્યુ - જ્યારે તાંડવ પર પાંડવ ચૂપ તો...
શિવસેનાએ જયા બચ્ચનની પ્રશંસા કરતા પાર્ટીના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યુ છે કે સાચુ બોલવા અને પોતાની બેબાકી માટે જાણીતા છે.
નવી દિલ્લીઃ બૉલિવુડના ડ્રગ્ઝ કનેક્શનનો કેસ હવે સંસદ સુધી પહોંચી ચૂક્યો છે. સોમવારે ભાજપ સાંસદ રવિ કિશને આ મુદ્દાને લોકસભામાં ઉઠાવ્યો હતો જેના પર મંગળવારે રાજ્યસભા સાંસદ જયા બચ્ચને પલટવાર કર્યો. તેમણે કહ્યુ કે 'જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાયુ, તે આને ગટર ગણાવી રહ્યા છે હું આનાથી બિલકુલ અસંમત છુ, આ એ લોકો છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે.' ત્યારબાદ જયા બચ્ચનના નિવેદન પર ઘમાસાણ મચી ગયુ.

સાંસદ જયા બચ્ચની પ્રશંસામાં સામનામાં સંપાદકીય
અમુક લોકો જયા બચ્ચન સાથે જોવા મળ્યા તો અમુક લોકો રવિ કિશન અને કંગનાને સપોર્ટ કરતા દેખાયા. વાસ્તવમાં કંગનાએ જ કહ્યુ હતુ કે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બૉલિવુડની તપાસ કરે તો પહેલી પંક્તિના ઘણા સ્ટાર્સ જેલના સળિયા પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થયા તો ઘણી ચોંકાવનારી વાતો સામે આવશે. આશા છે કે પ્રધાનમંત્રી જે સ્વચ્છ ભારત મિશન હેઠળ બૉલિવુડ જેવી ગટરને સાફ કરશે ત્યારબાદ મોનસુન સત્રમાં સાંસદ રવિ કિશને આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો.

સત્ય બોલવા માટે જાણીતા છે જયા બચ્ચનઃ સામના
હાલમાં જયા બચ્ચનના આ નિવેદન બાદ શિવસેનાએ અભિનેત્રીની પ્રશંસા કરતા કહ્યુ કે તે પોતાની બેબાકી અને સત્ય બોલવા માટે જાણીતા છે. પાર્ટીના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યુ છે કે ભારતનુ સિનેજગત પવિત્ર ગંગાની જેમ નિર્મળ છે જે રીતે આવો દાવો કોઈ ન કરી શકે તેમ ત્રણ ચાર કલાકારો દ્વારા કરવામાં આવેલ એ દાવો કે સિનેજગત ગટર છે તે પણ સંપૂર્ણપણે સાચો ન કહી શકાય. જયા બચ્ચને સંસદમાં આ પીડા વ્યક્ત કરી છે. જયાજીના વિચારો જેટલા મહત્વપૂર્ણ છે, તેટલા જ બેબાક પણ છે, જયા બચ્ચન સાચુ બોલવા અને પોતાની બેબાકી માટે જાણીતા છે.

જયાએ રાજકીય વિચારોને ક્યારેય છૂપાવીને નથી રાખ્યા
જયા બચ્ચને હંમેશાથી પોતાના રાજકીય અને સામાજિક વિચારોને ક્યારેય છૂપાવીને નથી રાખ્યા. મહિલાઓ પર અત્યાચારના સંદર્ભમાં તેમણે સંસદમાં બહુ ભાવુક થઈને અવાજ ઉઠાવ્યો હતો. હવે એવા સમયમાં જ્યારે સિનેજગતની બદનામી અને ધુલાઈ ચાલુ છે, તાંડવ કરનારા સારા એવા પાંડવ પણ મોઢુ બંધ રાખીને બેઠા છે, જાણે કે કોઈ અજ્ઞાત આતંકવાદના ઓછાયામાં જીવી રહ્યા છે અને કોઈ તેમના તેમના વ્યવહાર અને બોલવા માટે પડદા પાછળથી નિયંત્રિત કરી રહ્યા છે. એવામાં જયા બચ્ચનની વિજળી કડકી છે, તેમણે આ પીડાને સમજી છે.

'બકવાસ કરનારાનુ મોઢુ પહેલા સૂંઘવુ જોઈએ'
અત્યારે લાઈટ, કેમેરા અને એક્શન બંધ છે, એવામાં જ્વલંત મુદ્દાઓથી ધ્યાન હટાવીને બૉલિવિડને બદનામ કરવામાં આવી રહ્યુ છે, સિનેજગતના નાના-મોટા દરેક કલાકાર કે ટેકનિશિયનો જાણે કે ડ્રગ્ઝની જાળમાં અટકેલા છે, 24 કલાક તે ગાંજો અને ચિલમ પીતા બતાવાઈ રહ્યા છે. આવુ નિવેદન આપનારના ડોપિંગ ટેસ્ટ થવા જોઈએ. અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, દેવઆનંદ, આખુ કપૂર ખાનદાન, વૈજંતી માલાથી લઈને હેમા માલિની અને માધુરી દિક્ષિતથી લઈને ઐશ્વર્યા રાય સુધી એકથી એક ચડિયાતા કલાકારોએ અહીં યોગદાન આપ્યુ છે. આમિર, શાહરુખ અને સલમાન જેવા ખાન લોકોની પણ મદદ થઈ છે. આ બધા લોકો ગટરમાં પડી રહેતા હતા અને ડ્રગ્ઝ લેતા હતા આવો દાવો કોઈ કરી રહ્યુ હોય તો આવો બકવાસ કરનારાનુ મોઢુ પહેલા સૂંઘવુ જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
