હૈદરાબાદ એન્કાઉન્ટર: શિવસેનાએ આપી પ્રતિક્રીયા
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. તેલંગાણા પોલીસના આ પગલાથી દેશને એક બાજુ જ્યાં પોલીસની કાર્યવાહીથી લોકો ખુશ છે અને તેમના ઉપર ફૂલો વહાવી રહ્યા છે, જ્યારે બીજી બાજું એન્કાઉન્ટર પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. શિવસેનાએ પણ તેના મુખપત્ર સામના દ્વારા હૈદરાબાદ એન્કાઉન્ટર પર લેવામાં આવેલી કાર્યવાહી અંગે શંકા વ્યક્ત કરી છે.

પોલીસ જિંદાબાદના નારા લગાવી રહ્યા છે લોકો
સેનાના મુખપત્ર સામનામાં શનિવારે છપાયેલા એક લેખમાં હૈદરાબાદ એન્કાઉન્ટર અંગે મોટી ચર્ચા થઈ છે. શિવસેનાએ સંપાદકીય લેખમાં જણાવ્યું હતું કે, હૈદરાબાદ પોલીસે તપાસ, ચાર્જશીટ, સુનાવણી અને કોર્ટની તારીખો જેવી કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરીને કેસને સમાપ્ત કરવા માટે એક શોર્ટકટ પદ્ધતિ પસંદ કરી છે. શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, પીડિતાને ન્યાય મળ્યો છે અને જનતા પોલીસ જિંદાબાદના નારા લગાવી રહી છે અને ફૂલો વહાવી રહી છે.

પોલીસની વાત પર નથી ભરોશો
પોલીસના એન્કાઉન્ટર બાદ શિવસેનાએ નિવેદન આપ્યું હતું કે, દેશને કહેવામાં આવ્યું હતું કે પોલીસ આરોપીને બનાવને રીક્રીયેટ કરવા માટે લઇ ગઇ હતી. જ્યાંથી આરોપીઓએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને તેમનુ એન્કાઉન્ટર કરવાની ફરજ પડી હતી. શિવસેનાએ લખ્યું છે કે ચારેય આરોપીઓની હત્યા પર લોકોએ ખુશી વ્યક્ત કરી છે, પરંતુ પોલીસની આ વાત કોઈ માનશે નહીં.

સવાલોના ઘેરામાં તેલંગણા પોલીસ
નોંધપાત્ર વાત એ છે કે, 27 નવેમ્બરના રોજ તેલંગાણાની રાજધાની, હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ દેશભરના લોકો રસ્તા અને સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા હતા. આ ઘટનાના 7 દિવસ પછી શુક્રવારે સવારે સમાચાર આવે છે કે પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ચારેય આરોપીની હત્યા કરવામાં આવી છે. જે બાદ લોકોનો ગુસ્સો થોડો ઓછો થયો પરંતુ હવે પોલીસ સવાલોના ઘેરામાં છે. શનિવારે હ્યુમન રાઇટ્સ કમિશને પોલીસ વિરુદ્ધ નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો.

એન્કાઉન્ટર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
મહિલા ડોક્ટર પર ગેંગરેપ થયા બાદ હત્યાના ચારેય આરોપીઓની એન્કાઉન્ટરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગણી સાથે હૈદરાબાદ પોલીસે કરેલી આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. તેમજ આ સમગ્ર મામલાની તપાસ થવી જોઇએ તેવી પણ અરજીમાં માંગ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
