શિવાજી સાથે પીએમ મોદીની તુલનાથી ભડકી શિવસેના, ‘છત્રપતિએ રમખાણોની રાજનીતિ નથી કરી'
કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષની સહયોગી શિવસેનાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથના છત્રપતિ શિવાજી અંગે આપેલા નિવેદન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે.
કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષની સહયોગી શિવસેનાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથના છત્રપતિ શિવાજી અંગે આપેલા નિવેદન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. હાલમાં જ યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક કાર્યક્રમ દરમિયાન છત્રપતિ શિવાજી સાથે પીએમ મોદીની તુલના કરી હતી. શિવસેના સાંસદ સંજય રાઉતે સીએમ યોગીના આ નિવેદન બાદ પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યુ છે કે છત્રપતિ શિવાજીએ પોતાના જીવનકાળમાં ક્યારેય 'રમખાણોની રાજનીતિ' કરી નથી.

‘શિવાજીથી બિલકુલ અલગ છે ભાજપ'
બુધવારે મુંબઈમાં વરિષ્ઠ પત્રકાર જનબ સઈદ હામિકના પુસ્તક ‘છત્રપતિ શિવાજી મહારાજ અને મુસલમાન' ના વિમોચન પ્રસંગે સંજય રાઉતે કહ્યુ, '17 મી સદીમાં મરાઠા રાજા છત્રપતિ શિવાજીના જીવનની વિશેષતાઓ, વર્તમાન સત્તારુઢ ભારતીય જનતા પક્ષથી એકદમ અલગ હતા. હાલમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીની તુલના છત્રપતિ શિવાજી સાથે કરી, જો કે તે ભૂલી રહ્યા છે કે છત્રપતિ શિવાજીએ પોતાના જીવનમાં ક્યારેય રમખાણોની રાજનીતિ કરી નહોતી.'

રાફેલ અંગે પીએમ પર સાધ્યુ નિશાન
સંજય રાઉતે વિવાદિત રાફેલ ડીલ પર ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અંગે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ. કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સંજય રાઉતે કહ્યુ, ‘દરેક જણ એ જાણવા માટે ઉત્સુક છે કે સંરક્ષણ ક્ષેત્રમાં કોઈ પણમ પ્રકારનો અનુભવ ન ધરાવતી કંપની સાથે રાફેલ વિમાન બનાવવાનો સોદો કર્યા બાદ આ લડાકૂ વિમાનોની કિંમત પોતાની વાસ્તવિક કિંમત કરતા ત્રણ ગણી કેવી રીતે વધી ગઈ? આ મામલે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનું નિવેદન પણ ચોંકાવનારુ છે.'

‘શિવાજીની સેનામાં મહત્વના પદો પર હતા મુસલમાન'
કાર્યક્રમમાં સંજય રાઉતે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મુસ્લિમોની ભાગીદારીની પણ પ્રશંસા કરી. સંજય રાઉતે કહ્યુ, ‘છત્રપતિ શિવાજીએ પોતાની સેનામાં મહત્વપૂર્ણ પદો પર મુસ્લિમ સમાજના લોકોને તૈનાત કર્યા હતા.' કાર્યક્રમમાં હાજર એનસીપીના પ્રવકતા નવાબ મલિકે કહ્યુ, ‘આરએસએસના હિંદુ રાષ્ટ્રની નવી પરિભાષા બાદ સંજય રાઉતે મુસલમાનોના હકમાં એક પગલુ આગળ વધીને સેક્યુલર વલણ અપનાવ્યુ છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
