કોંગ્રેસની પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા જેવા હીરોની જગ્યા ખાલી છેઃ શશિ થરૂર
શત્રુઘ્ન માટે કોંગ્રેસમાં જગ્યા ખાલી છેઃ શશિ થરૂર
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના બાગી નેતા શત્રુઘ્ન સિન્હાને કોંગ્રેસ નેતા શશિ થરૂરે કોંગ્રેસમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે બંને નેતા લોકસભા સાંસદ છે, થરૂરે એક તરફ જ્યાં તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ છે તો સિન્હા પટના સાહિબથી ભાજપના સાંસદ છે. શત્રુઘ્ન સિન્હા શશિ થરૂરના બુક લૉન્ચિંગ કાર્યક્રમ માટે તિરુવનંતપુરમ આવ્યા હતા. આ દરમિયાન થરૂરે કહ્યું કે અમારી પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા જેવા એક હીરોની જગ્યા ખાલી છે.

મોદી-શાહ પર સિન્હા કરે છે હંમેશા પ્રહાર
ઉલ્લેખનીય છે કે સિન્હા પોતાના ભાષણમાં પીએમ મોદીની આલોચના કરે છે. જેવી રીતે ભાજપના સાંસદ કીર્તિ આઝાદ પાર્ટી વિરુદ્ધ બાગી થયા, તે બાદ સિન્હા બીજા નેતા હતા જેમણે પોતાની જ પાર્ટી અને પીએમ વિરુદ્ધ નિવેદનબાજી શરૂ કરી હતી. સિન્હા પીએમ મોદી અને અમિત શાહની ભારે ટીકા કરતા જોવા મળે છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિન્હા રાષ્ટ્રીય જનતા દળની ટિકિટ પર આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે. બિહારમાં આરજેડી, કોંગ્રેસ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી એક સાથે જોવા મળી રહી છે.

બિહારમાં સીટ વહેંચણી પર તીખો પ્રહાર
જણાવી દઈએ કે જેવી રીતે બિહારમાં ભાજપ, નીતિશ કુમાર અને રામ વિલાસ પાસવાનની પાર્ટી વચ્ચે સીટની વહેંચણી થઈ, તેના પર શત્રુઘ્ન સિન્હાએ તીખો પ્રહાર કર્યો હતો. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે આ સીટની વહેંચણીથી ભાજપની ચૂંટણી સફળતા પર મોટો સવાલ ઉભો થઈ ગયો છે. 2014માં ભાજપે 30 સીટ પર ચૂંટણી લડી હતી જેમાંથી 22 સીટ પર જીત મળી હતી, પરંતુ આ વખતે પાર્ટીએ પહેલેથી જ 13 સીટ પર ચૂંટણી ન લડવાનો ફેસલો લીધો છે અને માત્ર 17 સીટ પર ચૂંટણી લડશે. એવામાં પાર્ટી પહેલેથી પાંચ સીટ કુરબાન કરી ચૂકી છે, આ હિસાબે સ્પષ્ટ છે કે પાર્ટીએ પહેલેથી જ પોતાની હાર સ્વીકારી લીધી છે.

ભાજપની નિરાશા સ્પષ્ટ
શ્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ભાજપે પહેલેથી જ હારનો સ્વીકાર કરી લીધો છે, એવામાં જનતાના મનમાં પણ આ સવાલ ઉઠશે. વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં ભાજપે બહુમત હાંસલ કર્યું હતું પરંતુ આ વખતે તે પોતાના સહયોગીઓને ખુશ કરવામાં લાગી છે. તેઓ પોતાના ભાગની સીટ બીજી પાર્ટીઓના ખોળામાં નાખી રહી છે, જે ભાજપની હતાશા દર્શાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
