રાયબરેલીમાં ભીષણ રોડ દુર્ઘટના, 7 લોકોની મૌત, 35 ઘાયલ
ઉત્તરપ્રદેશ રાયબરેલીમાં એક ભીષણ રોડ દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ગઈ છે, જયારે 35 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.
ઉત્તરપ્રદેશ રાયબરેલીમાં એક ભીષણ રોડ દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ગઈ છે, જયારે 35 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. આ ઘટના રાયબરેલીના ઊચાહર વિસ્તારની છે. જ્યાં મણિરામપુર નહેર પાસે શનિવારે સાંજે 6 વાગ્યે બસ અને પીકઅપ વાહનની જોરદાર ટક્કર થઇ. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ વાહનના ફુરચા ઉડી ગયા અને તેમાં મુસાફરી કરી રહેલા 5 લોકોની જગ્યા પર જ મૌત થઇ ગઈ, જયારે બીજા 2 લોકોએ જિલ્લા હોસ્પિટલમાં દમ તોડ્યો.

ખરેખર ઊચાહર ચોકી ક્ષેત્રના મદારીપુરથી કેટલાક લોકો પીકઅપ વાહન પર સવાર થઈને શનિવારે ફતેહ પૂર મુંડન સંસ્કાર માટે જઈ રહ્યા હતા ત્યારે જ ખોટી દિશામાંથી આવી રહેલી પ્રાઇવેટ બસે ટક્કર મારી. હાલમાં 12 ઘાયલોનો ઉપચાર નગરના સીએચસી, 9 લોકોને એનટીપીસી અને 10 ઘાયલ લોકોનો ઉપચાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે જયારે ચાર લોકોને લખનવ રેફર કરવામાં આવ્યા છે.

દુર્ઘટના વિશે જાણકારી મળતા જ જિલ્લાધિકારી સંજય કુમાર ખત્રી અને એસપી સુજાતા સિંહ જગ્યા પર પહોંચ્યા અને ઘાયલોના ઉપચાર માટે વ્યવસ્થા કરાવી. પૂર્વ કેબિનેટ મંત્રી મનોજ કુમાર પાંડેએ ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ કરી. તેમને મૃતકો માટે સરકાર પાસે 25-25 લાખ રૂપિયા અને ઘાયલો માટે 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની માંગ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
