'રોજ પોતાના સ્પર્મને બરબાદ ન કરો, નહિતર...', રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોએ પુરુષોને આપી ગંભીર ચેતવણી
હાલના સમયમાં લોકોની નબળી જીવનશૈલીને કારણે સંતાન પ્રાપ્ત કરવુ મુશ્કેલ બની રહ્યુ છે. હાલના એક સંશોધનમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.
નવી દિલ્લીઃ માનવીઓ માટે પ્રજનન એ સૌથી મહત્વની બાબત છે પરંતુ હાલના સમયમાં લોકોની નબળી જીવનશૈલીને કારણે સંતાન પ્રાપ્ત કરવુ મુશ્કેલ બની રહ્યુ છે. આ સમસ્યાનો સૌથી વધુ ભોગ પુરુષો બની રહ્યા છે. તાજેતરમાં કસ્તુરબા મેડિકલ કોલેજ, MAHE-મણિપાલ અને યુનિવર્સિટી ઓફ મ્યુએન્સ્ટર, જર્મનીના નિષ્ણાતોએ સંશોધન કર્યુ. જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. (ફોટો-સાંકેતિક)

ઈજેક્યુલેશન પર થયુ રિસર્ચ
રિસર્ચ મુજબ પુરુષોની ખોટી આદતોના કારણે બાળકોને જન્મ આપવામાં મુશ્કેલી થાય છે. આ સમસ્યા વધતી ઉંમર સાથે વધતી જાય છે. આ કારણે જર્મનીના ફર્ટિલિટી નિષ્ણાતોની ટીમે શુક્રાણુની ગુણવત્તા અને સ્ખલન વચ્ચેનો સંબંધ જાણવાનો પ્રયાસ કર્યો. પછી તેને અમેરિકન સોસાયટી ઑફ એન્ડ્રોલૉજી અને યુરોપિયન એકેડેમી ઑફ એન્ડ્રોલૉજીના સત્તાવાર જર્નલ 'એન્ડ્રોલૉજી'માં પ્રકાશિત કર્યું.

આટલો ગેપ જરૂરી
સંશોધનમાં શામેલ નિષ્ણાતોએ જણાવ્યુ કે તેઓએ તેમાં 10 હજાર પુરુષોને શામેલ કર્યા હતા. આ પછી તેમના બે સ્ખલન વચ્ચેના અંતર અને શુક્રાણુની ગુણવત્તાની તપાસ કરવામાં આવી. તેમણે કહ્યુ કે જો તમારે પિતા બનવુ હોય તો તમારે સરેરાશ ગુણવત્તાવાળા શુક્રાણુઓ જોઈએ. આ માટે બે સ્ખલન વચ્ચે બે દિવસનુ અંતર રાખવુ જોઈએ. જો કોઈ વ્યક્તિના વીર્યની ગુણવત્તા ખૂબ જ નબળી હોય તો તેણે બે સ્ખલન વચ્ચે 6થી 15 દિવસનુ અંતર રાખવુ જોઈએ.

પુરુષો પણ સમાન રીતે જવાબદાર
આ મામલે મણિપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશનના વાઇસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ (ડૉ.) વેંકટેશે જણાવ્યુ હતુ કે ભારતમાં જ્યારે પણ કોઈ દંપતીને બાળક ન થાય તો મહિલાને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ આ ધારણા સંપૂર્ણપણે ખોટી છે. આ માટે પુરુષો પણ 50 ટકા જવાબદાર છે. આમાં સૌથી મોટુ કારણ નબળી ગુણવત્તાવાળા શુક્રાણુઓ છે.

આપી આ ચેતવણી
અભ્યાસ મુજબ જ્યારે બાળકોનો જન્મ નથી થતો ત્યારે પુરુષો તેમની ખામીઓને નજરઅંદાજ કરે છે. ઘણા કિસ્સામાં એવુ જોવા મળ્યુ છે કે તેઓ સારવાર માટે પણ જતા નથી. આવી સ્થિતિમાં તેમને ચેતવણી આપવામાં આવે છે કે દરરોજ શુક્રાણુનો બગાડ ન કરવો જોઈએ નહીં તો બાળકો પેદા કરવામાં ઘણી મુશ્કેલી થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
