રિસર્ચમાં દાવોઃ 50 વર્ષ બાદ ભારતમાં સહારા રણ જેવી ભીષણ ગરમી પડશે
રિસર્ચમાં દાવોઃ 50 વર્ષ બાદ ભારતમાં સહારા રણ જેવી ભીષણ ગરમી પડશે
નવી દિલ્હીઃ ગ્રીનહાઉસ ગેસ અને ગ્લોબલ વોર્મિંગને પગલે પૃથ્વીના વાતાવરણમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ દરમિયાન એક ચોંકાવનારું અધ્યયન સામે આવ્યું છે. જે મુજબ આગલા 50 વર્ષમાં દુનિયાના એક તૃતિયાંશ એટલે કે 3.5 અબજ લોકોએ સહારા રણ જેવી ગરમીનો સામનો કરવો પડી શકે છે. આ અધ્યયન જર્નલ પ્રોસીડિંગ્સ ઑફ ધી નેશનલ એકેડમી ઑફ સાયન્સ પ્રેક્ટિસમાં પ્રકાશિત થયો છે.

વાર્ષિક તાપમાનમાં સરેરાસ 1.8 ડિગ્રીનો વધારો
નીધરલેન્ડના વેગનનિંગન વિશ્વવિદ્યાલયના ઈકોલોજિસ્ટ માર્ટન શેફર મુજબ જળવાયુ પરિવર્તનથી વૈશ્વિક સરેરાસ વાર્ષિક તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો થશે. આનાથી લગભગ એક અબજ લોકો ગરમીમાં એસી વિના રહેવા માટે મજબૂર થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેટલા લોકો ખતરામાં છે, તે એ વાત પર પણ નિર્ભર કરે છે કે કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન કેટલું થશે અને દુનિયાની વસ્તી કેટલી તેજીથી વધે છે. જળવાયુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જનસંખ્યા વૃદ્ધિ અને કાર્બન પ્રદૂષણના મામલે સૌથી ખરાબ સ્થિતિ અંતર્ગત લગભગ 3.5 અબજ લોકો અતિ ગરમ ક્ષેત્રમાં રહેશે. આ 2070ની અનુમાનિત વસ્તીનું એક તૃતિયાંશ છે. કૉર્નેલ વિશ્વવિદ્યાલયના જળવાયુ વૈજ્ઞાનિક નતાલી મહોલ્ડે કહ્યું કે આ ઓછા સમયમાં લોકોની બહુ મોટી સંખ્યા છે. આ કારણ જ છે કે આપણે ચિંતિત છીએ. જળવાયુ પરિવર્તનને અલગ રીતે જોવા માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે ભાલૂ, પક્ષી અને મધમાખકીઓ પર અધ્યયન કર્યું,

6000 વર્ષ પહેલાના તાપમાનમાં અનુમાન લગાવ્યું
તેમણે 6000 વર્ષ પહેલાના તાપમાનમાં અનુમાન લગાવ્યું કે 52થી 59 ડિગ્રી વચ્ચે સરેરાસ વાર્ષિક તાપમાન હોવાની વાત કહેવામાં આવી. વર્તમાનમાં લગભગ 2 કરોડ લોકો 29 ડિગ્રી સેલ્સિયસથી વધુ વાર્ષિક અવરેજ તાપમાન વાળા સ્થળો પર રહે છે, આવા સ્થળો જે અનુકૂળ તાપમાન વાળા સ્થળોથી દૂર છે. જ્યારે ક્ષેત્ર પૃથ્વીના 1 ટકથી ઓછા છે, અને આ વધુ સહારો રણ પાસે છે, જેમાં મક્કા, સાઉદી અરબ સામેલ છે. તેમાં ભારત પણ સામેલ હશે.

7.5 ડિગ્રી વધુ તાપમાન સુધી સામનો કરવો પડશે
ઈંગ્લેન્ડની યૂનિવર્સિટી ઑફ એક્સેટરના જળવાયુ વૈજ્ઞાનિકો અને ગ્લોબલ સિસ્ટમ ઈન્સ્ટીટ્યૂટનના નિદેશક સહ અધ્યનકર્તા ટિમ લેંટને કહ્યું કે નાઈઝીરિયા જેવા ગરીબ દેશની વસ્તી સદીના અંત સુધી ત્રણ ગણા થવાની ઉમ્મીદ છે, તેની ગરમીની સમસ્યાથી સામનો કરવાની ક્ષમતા ઓછી છે. આ સદીના અંત સુધી વૈશ્વિક તાપમાનમાં જ્યારે એવરેજ 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, ત્યારે માણસોના વિવિધ દેશો અને ત્યાં હવામાન મુજબ 7.5 ડિગ્રી વધુ તાપમાન સુધીનો સામનો કરવો પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
