BHUમાં મુસ્લિમ સંસ્કૃત પ્રોફેસરના વિરોધ પર પ્રિયંકા ગાંધીએ કહી મોટી વાત
BHUમાં મુસ્લિમ સંસ્કૃત પ્રોફેસરના વિરોધ પર પ્રિયંકા ગાંધીએ કહી મોટી વાત
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બનારસ હિન્દુ યૂનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં મુસલમાન આસિસ્ટેન્ટ પ્રોફેસર ફિરોઝ ખાનની નિયુક્તિને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ પર પ્રિયંકા ગાંધીએ મોટી વાત કહી. પ્રિયંકા ગાંધીએ કહ્યુ્ં કે સંસ્કૃત કોઈ એક ધર્મનો શિક્ષક ભણાવી શકે એવું નથી. સંસ્કૃત કોઈપણ ભણાવી શકે.

સરકાર સંવૈધાનિક અધિકારની રક્ષા કરેઃ પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ટ્વીટ કર્યું કે આપણી ભાષાઓ અને સંસ્કૃતિ આપણી વિશેષતા છે, આપણી મજબૂતી છે. સંસ્કૃતમાં જ લખવામાં આવ્યું છે, "सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।" આ ભાષામાં વિશાળતા છે. આપણા દેશના સંવિધાનમાં વિશાળતા છે. વિશ્વવિદ્યાલયમાં કોઈપણ ધર્મનો અધ્યાપક સંસ્કૃત ભણાવી શકે છે. સરકાર અને વિશ્વવિદ્યાલયે આ સંવૈધાનિક અધિકારની રક્ષા કરવી જોઈએ.

માયાવતી પણ ભડકી ઉઠ્યાં
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતીએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે બનારસ હિન્દૂ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતના શિક્ષક તરીકે પીએચડી સ્કોલર ફિરોઝ ખાનને લઈ વિવાદ પર પ્રશાસનનું ઢીલું વલણ મામલાને વધુ ચગાવી રહ્યું છે. કેટલાક લોકો દ્વારા શિક્ષાને ધર્મ/જાતિની અને રાજનીતિ સાથે જોડી દેવામાં આવવાના કારણે ઉપજેલ આ વિવાદ બિલકુલ યોગ્ય ન ઠહેરાવી શકાય. તેમણે આગળ લખ્યું કે, બીએચયૂ દ્વારા એક મુસ્લિમ સંસ્કૃત વિદ્વાનને પોતાના શિક્ષક તરીકે નિયુક્ત કરવા પર ટેલેન્ટને યોગ્ય રસ્તો આપવો જ માનવામાં આવશે અને આ મામલે મનોબળ નબળું પાડતાં કામને બિલકૂલ મંજૂરી ના આપવી જોઈએ. આના પર સરકાર ધ્યાન આપે તો સારું રહેશે.

શું છે સમગ્ર મામલો
બીએચયૂના સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન વિભાગમાં બે અઠવાડિયા પહેલા ફિરોઝ ખાનની આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર નિયુક્ત થઈ હતી. તેમની નિયુક્તિ બાદ જ કેટલાક વિદ્યાર્થીઓ સતત તેમની અપોઈન્ટમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે એક મુસલમાન સંસ્કૃત ના ભણાવી શકે. તેમને ક્લાસ લેવા દેવામાં ન આવી. ઉપરાત ફિરોઝના વિરોધને ખોટો ગણાવતા લોકોની સંખ્યામાં પણ તગડી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
