મલિકના નવા આરોપ પર વાનખેડેએ કહ્યુ - મે તો ક્રાંતિ સાથે 2017માં લગ્ન કર્યા પછી...
નવાબ મલિકે સોમવારે સમીર વાનખેડે ઉપર નવા આરોપ લગાવ્યા જેના પર સમીરે પ્રતિક્રિયા આપી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે સોમવારે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ઉપર નવા આરોપ લગાવ્યા છે. તેમણે પોતાની લેટેસ્ટ ટ્વિટમાં વાનખેડેને સવાલ કર્યા છે કે, 'શું તમારી સાળી હર્ષદા દીનાનાથ રેડકર ડ્રગ વેપારમાં શામેલ છે?, જેના પર હવે વાનખેડેએ પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાત કરીને સમીર વાનખેડેએ કહ્યુ કે, 'મલિક જે કેસનો ઉલ્લેખ કરી રહ્યા છે તે વર્ષ 2008નો છે. ત્યારે તો હું સર્વિસમાં નહોતો. આમ પણ મારા લગ્ન ક્રાંતિ રેડકર સાથે વર્ષ 2017માં થયા છે, એવામાં હું આ કેસ સાથે કેવી રીતે જોડાઈ ગયો?, આ વાતનો સવાલ જ ક્યાં પેદા થાય છે?'

શું તમારી સાળી ડ્રગ વેપારમાં શામેલ છે?
તમને જણાવી દઈએ કે નવાબ મલિકે સોમવારે ટ્વિટ કર્યુ કે, 'સમીર દાઉદ વાનખેડે, શું તમારી સાળી હર્ષદા દીનાનાથ રેડકર ડ્રગ વેપારમાં શામેલ છે? તમારે જવાબ આપવો જોઈએ કારણકે તેનો કેસ પૂણેની અદાલતમાં પેન્ડીંગ છે. આ રહ્યા પુરાવા.' નવાબ મલિકે પોતાના ટ્વિટમાં પૂણે કોર્ટમાં પેન્ડીંગ એક કેસની ડિટેલ પણ શેર કરી છે.

સમીર વાનખેડે પહેલા મુસ્લિમ હતા
તમને જણાવી દઈએ કે નવાબ મલિક સતત સમીર વાનખેડે પર પર્સનલ એટેક કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે સમીર વાનખેડે પહેલા મુસ્લિમ હતા, તેમણે નોકરી મેળવવા માટે હિંદુ ધર્મ અપનાવ્યો અને છેતરપિંડા કરીને દલિત સર્ટિફિકેટ મેળવ્યુ. તેમના પિતાનુ નામ દાઉદ વાનખેડે છે. તેમની પહેલી પત્ની પણ મુસ્લિમ હતી જેની સાથે તેમણે નિકાહ કર્યો હતો અને પછી વર્ષ 2016માં તેમનો તલાક થઈ ગયો. વાનખેડે દ્વારા હજારો કરોડ રૂપિયાનું ભંડોળ ભાજપે એકઠુ કર્યુ છે માટે વાનખેડે 2 લાખ રૂપિયાના જૂતા પહેરે છે. વાનખેડેએ જાણીજોઈને ફેમસ લોકોને ડ્રગ્સ કેસમાં ફસાવ્યા છે.

જ્ઞાનદેવ વાનખેડેએ મલિક પર કર્યો માનહાનિનો કેસ
સમીર વાનખેડેનુ કહેવુ છે કે ડ્રગ્સ કેસમાં મલિકના જમાઈ પકડાઈ ગયા હતા માટે મલિકે તેમના અને તેમના પરિવારને બદનામ કરવામાં લાગ્યા છે. સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે નવાબ મલિક સામે બૉમ્બે હાઈકોર્ટમાં ગયા છે. જ્ઞાનદેવ મલિક સામે 1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો છે. જ્ઞાનદેવે પોતાની અરજીમાં કહ્યુ છે કે મલિકના આરોપોથી તેમનુ ચરિત્ર અને પ્રતિષ્ઠાને નુકશાન થયુ છે, મારો દીકરો ઈમાનદાર છે અને આના કારણે તેને નવાબ મલિક નિશાન બનાવી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
