પુલવામા જેવા હુમલા થતા રહે છેઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું વિવાદિત નિવેદન
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને રાહુલ ગાંધીના ખૂબ જ નજીક ગણાતા સામ પિત્રોડાએ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે.
પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની છાવણીઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર રાજકારણ હજુ પણ ચાલુ છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને રાહુલ ગાંધીના ખૂબ જ નજીક ગણાતા સામ પિત્રોડાએ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે. સામ પિત્રોડાએ કહ્યુ, 'જો વાયુસેનાએ 300 આતંકીઓને માર્યા એ તો ઠીક છે પરંતુ હું બસ એ કહી રહ્યો છુ કે તમે મને કંઈક વધુ તથ્ય આપીને આને સાબિત કરી શકો છો.' જ્યારે પુલવામા હુમલા પર પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ વિવાદિત નિવેદન આપ્યુ છે.

એર સ્ટ્રાઈકમાં શું ખરેખર 300 આતંકી માર્યા ગયા?
સામ પિત્રોડાએ કહ્યુ, ‘હું વધુ જાણવા ઈચ્છીશ જેમ કે મે ન્યૂયોર્ક ટાઈમ્સ અને અન્ય સમાચાર પત્રોમાં વાંચ્યુ છે, અમે વાસ્તવમાં શું હુમલ કર્યો, અમે વાસ્તવમાં 300 લોકોને માર્યા?' તેમણે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય મીડિયાનું બાલાકોટ એર સ્ટ્રાઈક પર કંઈક અલગ જ કહેવુ છે. તે એર સ્ટ્રાઈકની અસર પર કંઈક અલગ જ કહી રહ્યા છે. એવામાં વાયુસેનાના ઑપરેશન વિશે ભારતના લોકોને જાણવાનો હક છે કારણકે આંતરરાષ્ટ્રીય મીડિયા કહી રહી છે કે આ સ્ટ્રાઈકમાં કોઈ માર્યુ ગયુ નથી.
|
પુલવામા જેવા હુમલા થતા રહે છે - સામ પિત્રોડા
સામ પિત્રોડાએ કહ્યુ કે, ‘એક નાગરિક તરીકે મને જાણવાનો હક છે અને જો હું પૂછી રહ્યો છુ તો આ મારુ કર્તવ્ય છે, આનો અર્થ એ નહિ કે હું રાષ્ટ્રવાદી નથી. આનો અર્થ એ નથ કે હું તે કે આ તરફ છુ. આપણે આ બધા તથ્ય જાણવા જોઈએ. જો તમે કહો છો કે 300 લોકો માર્યા ગયા તો મારે તે જાણવુ છે. દેશના લોકોએ આ જાણવુ જોઈએ.'
|
અમુક લોકોની ભૂલની સજા આખા પાકિસ્તાનને આપવી યોગ્ય નથી
પિત્રોડાએ કહ્યુ કે મને પુલવામા હુમલા વિશે વધુ ખબર નથી પરંતુ આવા હુમલા થતા રહે છે. મુંબઈની તાજ હોટલ અને ઓબેરૉય હોટલમાં પણ હુમલા થયા. અમે પણ એ સમયે પ્રતિક્રિયા આપી શકતા હતા અને પોતાના વિમાન મોકલી શકતા હતા પરંતુ આ રીતે કરવુ યોગ્ય ન હોત. તેમણે મુંબઈના 26/11 હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આઠ લોકો આવે છે અને કંઈક કરે તો આના માટે તમે આખા દેશને (પાકિસ્તાન)ને દોષી ન ગણી શકો. અમુક લોકો અહીં આવ્યા અને તેણે હુમલો કર્યો આના માટે આખા દેશને જવાબદાર માનવો બાલીશ વાત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
