370 અને 35એ દેશમાં આતંકવાદની એન્ટ્રીનુ ગેટવે બની ગયુ હતુઃ અમિત શાહ
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી.
આજે આખો દેશ ભારતના પહેલા ઉપ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ શાહે દિલ્લીના નેશનલ સ્ટેડિયમમાં 'રન ફૉર યુનિટી'ને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા. તમને જણાવી દઈએ કે આજના દિવસે દર વર્ષે 'રન ફૉર યુનિટી'નુ આયોજન કરવામાં આવે છે.
|
પીએમ મોદીએ સરદાર પટેલનુ સપનુ કર્યુ પૂરુઃ અમિત શાહ
આ પ્રસંગે અમિત શાહે લોકોને સ્ટેડિયમમાં સંબોધિત પણ કર્યા. તેમણે કહ્યુ કે આ સરદાર પટેલે દેશને એક સૂત્રમાં પરોવવાનુ કામ કર્યુ હતુ. મોદી સરકારે તેમના અધૂરા સપનાને પૂરુ કર્યુ છે. જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યુ કે 70 વર્ષ થઈ ગયા પરંતુ કોઈએ આર્ટિકલ 370ને અડવાનુ પણ જરૂરી સમજ્યુ નહોતુ.
આર્ટિકલ 370 અને 35એ આતંકવાદની એન્ટ્રીનો ગેટવે બની ગયુ હતુ
2019માં દેશની જનતાએ ફરીથી એકવાર મોદીજીને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા અને 5 ઓગસ્ટે દેશની સંસદે 370 અને 35એને હટાવીને સરદાર સાહેબનુ અધૂરુ સપનુ પૂરુ કરવાનુ કામ કર્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ 182 મીટરનુ સ્ટેચ્યુ બનાવીને સરદાર પટેલના કામને દુનિયા સામે રજૂ કર્યુ અને તેમને જરૂરી ઓળખ અને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યુ કે આર્ટિકલ 370 અને 35એ દેશમાં આતંકવાદની એન્ટ્રીનુ ગેટવે બની ગયુ હતુ જેને પીએમ મોદીના નેતૃત્વમાં હટાવવામાં આવ્યુ.
|
પટેલના કારણે ભારત એક છે
અમિત શાહે કહ્યુ, દેશ આઝાદ થયા બાદ 550થી વધુ રજવાડામાં દેશને વહેંચવાનુ કામ અંગ્રેજોએ કર્યુ હતુ, આખો દેશ અને દુનિયા માનતી હતી કે ભારતને આઝાદી તો મળી પરંતુ ભારત વહેંચાઈ જશે. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે એક પછી એક રજવાડાને દેશ સાથે જોડવાનુ કામ કર્યુ. સરદાર પટેલે 550થી વધુ રજવાડાને એખ કરીને દેશને અખંડ બનાવ્યો પરંતુ એક કસક છૂટી ગઈ હતી જમ્મુ અને કાશ્મીરનુ ભારત સાથે વિલય તો થયુ પરંતુ અનુચ્છેદ 370 અને 35એના કારણે જમ્મુ અને કાશ્મીર આપણા માટે એક સમસ્યા બનીને રહી ગયુ ત્યાં વિકાસ થઈ શક્યો નહિ.

દેશનુ મસ્તક છે કાશ્મીરઃ અમિત શાહ
પરંતુ હવે આવુ નહિ થાય અને આજથી તે આપણી સાથે અધિકૃત રીતે જોડાઈ ગયુ છે. તે દેશનુ મસ્તક છે અને ત્યાં પણ બહુ જલ્દી વિકાસની સવાર પડશે. તમને જણાવી દઈએ કે આજથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા બનશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
