RTI દ્વારા માંગી ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, ગામ, લીલાઓ વિશે જાણકારી
એક આરટીઆઈ દ્વારા મથુરા જિલ્લા પ્રશાસન પાસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, તેમનુ ગામ, વ્રજની લીલાઓ વગેરે વિશે ઘણી જાણકારીઓ માંગવામાં આવી છે
ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં પ્રશાસન વિચિત્ર અસમંજસની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. એક આરટીઆઈ દ્વારા મથુરા જિલ્લા પ્રશાસન પાસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, તેમનુ ગામ, વ્રજની લીલાઓ વગેરે વિશે ઘણી જાણકારીઓ માંગવામાં આવી છે જે અંગે સરકારી અધિકારીઓને પરસેવો છૂટી રહ્યો છે. આરટીઆઈમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત પ્રતિલિપિ શેર કરવાની માંગ કરવામાં આવી છે.

આરટીઆઈ દાખલ કરીને માંગ્યા જવાબ
છત્તીસગઢના એક આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ્ર કુમાર ગેંદલે મથુરા જિલ્લાના પ્રશાસનથી ભગવાન કૃષ્ણના જન્મ અને તેની સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ માંગી છે. આ મામલે મથુરાના મુખ્ય જનસૂચના અધિકારી અને અપર જિલ્લાધિકારી (એડીએમ કાયદો-વ્યવસ્થા) રમેશ ચંદ્રએ કહ્યુ કે જનમાન્યતા અને આસ્થા સાથે જોડાયેલા સવાલોના શું જવાબ આપવામાં આવે. વિભાગ આ અંગે અસમંજસની સ્થિતિમાં છે.

જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત પ્રતિલિપિ માંગી
છત્તીસગઢના વિલાસપુર જિલ્લાના રહેવાસી આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ્ર કુમાર ગેંદલે દાખલ કરેલ આરટીઆઈમાં લખે છે, ‘ગઈ 3 સપ્ટેમ્બરે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીના પ્રસંગે રજાની ઘોષણા કરીને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવ્યો. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રમાણપત્રની પ્રતિલિપિ શેર કરવામાં આવે જેથી એ સિદ્ધ થઈ શકે કે તેમનો જન્મ આ દિવસે થયો હતો.'

‘શું શ્રીકૃષ્ણ ખરેખર ભગવાન હતા?'
એ પણ જણાવવામાં આવ્યુ છે કે શું તેઓ ખરેખર ભગવાન હતા? અને હતા તો કેવી રીતે? તેમની ભગવાન હોવાની પ્રમાણિકતા પણ ઉપલબ્ધ કરવામાં આવે. ભગવાન કૃષ્ણનું ગામ કયુ હતુ? તેમણે કઈ કઈ લીલાઓ કરી? આ સવાલો પર રમેશ ચંદ્રએ કહ્યુ કે હિંદુ ધર્મ સાથે જોડાયેલા ગ્રંથોમાં આ પ્રકારના વર્ણન છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં તત્કાલિન શૌરસેન (વર્તમાનમાં મથુરા) જનપદમાં થયો હતો. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આવા સવાલોના શું જવાબ આપી શકાય તેના પર વિભાગ વિચાર કરી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
