RSSનો મોદી સરકારને સંદેશ, આજથી શરૂ થશે તો 2025 સુધી બની શકશે રામ મંદિર
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજીએ કુંભ મેળા દરમિયાન એક કાર્યક્રમમાં કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિર 2025માં બનશે.
રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે પરંતુ રોજેરોજ આ અંગે કોઈને કોઈ નિવેદનબાજી થતી રહે છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજીએ કુંભ મેળા દરમિયાન એક કાર્યક્રમમાં કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિર 2025માં બનશે. વળી, જ્યારે પત્રકારોએ પૂછ્યુ કે તે ઘણા સમયથી અયોધ્યામાં મંદિર બનાવવાની વાત કહી રહ્યા છે. આના પર ભૈયાજી જોશીએ પોતાની સફાઈ આપી છે.

આજે શરૂ થશે તો 5 વર્ષોમાં બનશે મંદિર
ભૈયાજી જોશીએ કહ્યુ કે અયોધ્યામાં મંદિર બને એ અમારી ઈચ્છા છે. આ મંદિર 2025 સુધી પૂરુ થવુ જોઈએ એ અમારી ઈચ્છા છે. આગળ સરકારે નક્કી કરવાનું છે. તેમણે કહ્યુ કે 2025માં શરૂ થવાની વાત નથી. જો મંદિર નિર્માણ આજે શરૂ થશે તો 5 વર્ષોમાં બનશે. તેમણે કહ્યુ કે મંદિર જરૂર બનશે. કુંભ મેળા દરમિયાન એક કાર્યક્રમમાં ભૈયાજી જોશીએ કહ્યુ હતુ કે અયોધ્યામાં મંદિર નિર્માણ શરૂ થઈ જશે તો દેશનો વિકાસ ઝડપી થશે.
|
મંદિર નિર્માણ શરૂ થશે તો દેશનો વિકાસ ઝડપથી થશે
તેમણે કહ્યુ કે દેશમાં વિકાસની ગતિ એ રીતે વધશે જેવી વર્ષ 1952માં સોમનાથ મંદિરમાં નિર્માણ બાદ શરૂ થઈ હતી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દે આરએસએસ સતત મોદી સરકાર પર દબાણ કરી રહી છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સરકારને આ મામલે વયહુકમ લાવવાન પણ માંગ કરી ચૂક્યા છે.

ભૈયાજી જોશીનો મોદી સરકારને સંદેશ
ભૈયાજી જોશીએ કહ્યુ કે પહેલા સ્વામી વિવેકાનંદના સ્મારક નિર્માણમાં પણ અડચણો આવી હતી. અમુક શક્તિઓએ આની સામે અવાજ ઉઠાવ્યો હતો. કંઈક એવી જ પરિસ્થિતિઓ આજે પણ છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારને અયોધ્યામાં મંદિર નિર્માણની દિશામાં કંઈક વિચારવુ જોઈએ. તેમણે કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણમ થયા બાદ દેશનો વૈભવ વધશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
