RSSના 10 લોકો આતંકવાદી હુમલામાં સંડોવાયેલા છે : ગૃહ સચિવ

આર કે સિંહે પત્રકારોને કહ્યું હતું કે 'સમજોતા એક્સપ્રેસ, મક્કા મસ્જિદ અને દરગાહ શરીફ (અજમેર) બ્લાસ્ટની તપાસ દરમિયાન અમને ઓછામાં ઓછા દસ નામોની જાણકારી મળી છે જે કોઇના કોઇ રીતે સંઘ સંબંધી રહ્યાં છે.
આર કે સિંહે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર પાસે ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેના આ દાવા સંબંધમાં કોઇ પુરાવા છે, જેમાં સંઘના કોઇ એવા વ્યક્તિના સંબંધ સાબિત થઇ શકે, જે દેશમાં આતંકીવાદી હુમલામાં સામેલ થઇ રહ્યાં હોય. તો આર કે સિંહે કહ્યું હતું કે અમારી પાસે તેમના વિરૂદ્ધ પુરાવા છે. સાક્ષીઓના નિવેદન છે.
ગૃહ સચિવ આર કે સિંહે તે દસ વ્યક્તિઓના નામ પણ સાર્વજનિક કર્યા હતા જે કથિત રીતે આતંકવાદી હુમલામાં સામેલ હતા અને જેમના સંઘ સાથે સંબંધ રહ્યાં છે. જે લોકોના નામનો ખુલાસો આર કે સિંહે કર્યો છે તેમાંનું એક નામ છે સુનિલ જોષી (મૃત), જે કથિત રીતે સમજોતા એક્સપ્રેસ અને અજમેર શરીફ દરગાહ વિસ્ફોટના ષડયંત્રમાં સામેલ હતો. તે દેવાસવ અને મઉમાં 1990ના દસકાથી માંડીને 2003 સુધી સંઘનો કાર્યકર્તા રહ્યો હતો.
સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ ઉપરાંત અજમેર શરીફ દરગાહ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ સંદીપ ડાંગે આ સમય દરમિયાન ફરાર હતો. તે મઉ, ઇન્દોર, ઉત્તરકાશી અને સાઝાપુરમાં નેવુંના દસકાથી માંડીને 2006 દરમિયાન સંઘનો પ્રચારક હતો. ગૃહ સચિવ આર કે સિંહે લોકેશ શર્મા (ધરપકડ)નું પણ નામ લીધું છે જે કથિત રીતે સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ વિસ્ફોટમાં સામેલ હતો. તે દેવગઢમાં સંઘનો નગર કાર્યવાહક હતો.
ધરપકડ પામેલ સ્વામી અસીમાનંદ સમજોતા એક્સપ્રેસ, મક્કા મસ્જિદ અને અજમેર શરીફ દરગાહ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો. તે નેવું દાયદાથી 2007 દરમિયાન ગુજરાતના ડાંગમાં સંઘના પ્રકોષ્ઠ વનવાસી કલ્યાણ પરિષદમાં હતો. રાજેન્દ્ર ઉર્ફ સમુંદરની પણ ધરપકડ કરવામાં આવી છે. તે કથિત રીતે સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ વિસ્ફોટમાં સામેલ હતો અને સંઘનો વર્ગ વિસ્તારક હતો.
મુકેશ વસાની ગોધરામાં સંઘનો કાર્યકાર્તા હતો અને અજમેર શરીફ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે. દેવેન્દ્ર ગુપ્તા મઉ અને ઇન્દોરમાં સંઘ પ્રચારક હતો અને તે મક્કા મસ્જિદ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો. ગુપ્તાની પણ ધરપકડ થઇ ચુકી છે.
ધરપકડ થઇ ચુકેલ ચંદ્રશેખર લેવે શાજહાનપુરમાં 2007માં સંઘ પ્રચારક હતો અને કથિત રીતે મક્કા મસ્જિદ વિસ્ફોટમાં સામેલ હતો. કમલ ચૌહાણ સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો. તે સંઘનો પ્રચારક રહી ચુક્યો છે. ચૌહાણની પણ ધરપકડ થઇ ચુકી છે. રામજી કલસાગર સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો અને તે સંઘ સાથે સંબંધ ધરાવતો હતો. કલસાગર નાસતો ફરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
