ભાગલાથી ના આપણે સુખી છીએ ના એ, વિભાજન રદ થવા પર જ મટશે પીડા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે 1947માં દેશના જે ભાગલા પડ્યા તેનાથી કોઈ ખુશ નથી.
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે 1947માં દેશના જે ભાગલા પડ્યા તેનાથી કોઈ ખુશ નથી. આ વિભાજને ક્યારેય ન ખતમ થાય તેવુ દુઃખ આપ્યુ છે. જે ત્યારે જ ખતમ થશે જ્યારે આ વિભાજન નાબૂદ થશે. ભાગવતે ગુરુવારે નોઈડામાં એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં બોલતા આ વાતો કહી.

દેશના ભાગલાની વાત કરતા આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યુ કે વિભાજનનો ઉપાય વાસ્તવમાં કોઈ ઉપાય નહોતો. ના તેનાથી ભારત સુખી છે ના એ(પાકિસ્તાન) જેમણે ઈસ્લામના નામે એ સમયે વિભાજનની માંગ કરી હતી. જે વિખેરાઈ ગયુ હતુ તેને એકીકૃત કરવા આપણી રાષ્ટ્રીય ફરજ છે. તેમણે કહ્યુ કે ભારતનુ વિભાજન કોઈ રાજકીય નહિ પરંતુ એક અસ્તિત્વનો પ્રશ્ન રહ્યો. એ સમયે આ વિભાજનને એટલા માટે સ્વીકારવુ પડ્યુ જેથી દેશમાં કોઈ લોહી ના વહે પરંતુ આ દૂર્ભાગ્ય છે કે આનુ એકદમ ઉલટુ થયુ. ત્યારથી અત્યાર સુધી ખબર નહિ કેટલુ લોહી દેશમાં વહી ચૂક્યુ છે.
ઈસ્લામ અને બ્રિટન પર સાધ્યુ નિશાન
આરએસએસ પ્રમુખે આગળ કહ્યુ, ભારતના વિભાજન પાછળ અમુક પરિસ્થિતિઓ જરૂર હતી પરંતુ આનુ સૌથી મોટુ કારણે ઈસ્લામ અને બ્રિટિશ આક્રમણ હતુ. ગુરુ નાનકજીએ આપણને ઈસ્લામના આક્રમણને લઈને ચેતવણી આપી હતી પરંતુ આપણે સાવચેત નહોતા થયા અને આનુ આ પરિણામ નીકળ્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
