ભાજપ-સંઘના કેમ્પમાં હિન્દુ આતંકને પ્રોત્સાહિત કરાય છેઃ શિંદે

બીજી તરફ આરએસએસ નેતા રામ માઘવ સુશીલ કુમાર શિંદેના નિવેદનની આકરી ટિકા કરી છે. તેમણે કહ્યું કે, પોતાના નેતાઓને ખુશ રાખવા માટે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પોતના નેતાઓને ખુશ કરવા માટે આવા ગેરજવાબદાર નિવેદન આપવા જોઇએ નહીં. નેતાઓને ખુશ કરવાના ઘણા રસ્તાઓ છે. આ પ્રકારે ખોટા નિવેદન આપીને નેતાઓને ખુશ કરવા ખોટા છે. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ હિન્દુ આતંકવાદનો મુદ્દો ઉપાડીને વોટનો લાભ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ ભાજપે પણ ગૃહમંત્રીના નિવેદની તીખી ટીપ્પણી કરી છે. શહનવાજ હુસેને કહ્યું છે કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ છે અને ભાજપ તેની તીખા શબ્દોમાં નીંદા કરે છે. ગૃહમંત્રીએ આવું બેજવાબદાર નિવેદન આપવું જોઇએ નહીં. આવા નિવેદન દેશના હિતમાં નથી.
નોંધનીય છે કે શિંદેએ જયપુર ખાતેની ચિંતન શિબિરમાં કહ્યું હતું કે મુખ્ય વિપક્ષી દળ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આરોપ લગાવ્યા છે કે કેમ્પોમાં કથિત રીતે હિન્દુ આંતકવાદીઓને પ્રશિક્ષણ આપવામાં આવે છે. તેમણે એક અહેવાલનો હવાલો આપતા કહ્યું હતું કે, અમારી પાસે અહેવાલ આવ્યો છે કે, તપાસમાં ભાજપ અને આરએસએસના ટ્રેનિંગ કેમ્પ, હિન્દુ આતંકવાદ વધારવાનું કામ જોઇ રહ્યાં છે. સમજૌતા એક્સપ્રેસ રેલગાડી ધમાકો, મક્કા મસ્જિદ બ્લાસ્ટ કે પછી માલેગાવ ધમાકો, હિન્દુ ચરમપંથીઓને ત્યાં જઇને ધમાકા કરાવ્યા અને પછી એવું કહ્યું કે આ ધમાકાઓ લધુમતિઓએ કરાવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
