RSS એ એમેઝોન પર ધર્માંતરણનો આરોપ લગાવ્યો, જાણો શું છે પુરો મામલો?
ભારતમાં ફરી એક વખત ધર્માંતરણને લઈને વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ સાથે જોડાેયલા મેગેઝીને ઈ કોમર્સ કંપની એમેઝોન પર ધર્માંતરણ માટે ફંડીંગ કરવાનો આરોપ વગાવ્યો છે.
નવી દિલ્હી : ભારતમાં ફરી એક વખત ધર્માંતરણને લઈને વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ સાથે જોડાેયલા મેગેઝીને ઈ કોમર્સ કંપની એમેઝોન પર ધર્માંતરણ માટે ફંડીંગ કરવાનો આરોપ વગાવ્યો છે. આરએસએસનો આરોપ છે કે, એમેઝોન નોર્થ ઈસ્ટ ભારતમાં લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા ભંડોળ પૂરું પાડી રહી છે. એમેઝોન અહીં વસ્તી વિષયક ફેરફાર કરવા માટે આ અભિયાન ચલાવી રહ્યું છે.

આ મુદ્દો આરએસએસ સાથે જોડાયેલા મેગેઝીન ધ ઓર્ગેનાઈઝરમાં લગાવવામાં આવ્યો છે. અમેઝિંગ ક્રોસ કનેક્શન ટાઈટલ સાથે આ વિશે કવર સ્ટોરી કરાઈ છે. સંઘનો આરોપ છે કે, એમેઝોન અહીં અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા ધર્માંતરણનું અભિયાન ચલાવી રહ્યું છે. જો કે, એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ આરોપો પાયાવિહોણા છે.
પત્રિકા અનુસાર, કે ઈ-કોમર્સ જાયન્ટ અહીંના અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ભંડોળ પૂરું પાડે છે. એ પણ શક્યતા છે કે આ માટે મની લોન્ડરિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને એબીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ભારતમાં મિશનરી ધર્માંતરણનું મિશન મોટા પાયે હાંસલ કરી શકાય. અખિલ ભારતીય મિશનને ABM દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તેને તેની વેબસાઇટ પર ખુલ્લેઆમ જણાવ્યું છે કે તેઓએ ઉત્તરપૂર્વ ભારતમાં 25,000 લોકોનું ધર્માંતરણ કર્યું છે.
સ્ટોરીમાં AIMની ટ્વિટર પોસ્ટનો ઉલ્લેખ કરીને દાવો કરાયો છે કે, એમેઝોન દ્વારા લોકોને ફંડિંગ માટે અપીલ કરવામાં આવી છે, તેમાં એમેઝોન સ્માઈલનો લોગો પણ હોય છે. એમેઝોન અખિલ ભારતીય મિશન દ્વારા ભારતમાં ધર્માંતરણ માટે ભંડોળ પૂરું પાડે છે. આ તમામ આરોપોને નકારી કાઢતાં એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, એમેઝોન ઈન્ડિયાને ઓલ ઈન્ડિયા મિશન સાથે કોઈ સંબંધ નથી અને એમેઝોનના અન્ય કોઈ જૂથને એમેઝોન સ્માઈલ પ્રોગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે ધ ઓર્ગેનાઈઝર મેગેઝીન અહેવાલની નોંધ લીધી છે. NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ જણાવ્યું કે, અમને સપ્ટેમ્બરમાં અરુણાચલ પ્રદેશમાંથી અનાથાશ્રમોમાં થઈ રહેલા ગેરકાયદે ધર્માંતરણ અને એમેઝોનના કથિત ભંડોળ અંગે ફરિયાદ મળી હતી. તપાસ બાદ પંચે પુષ્ટિ કરી હતી કે અખિલ ભારતીય મિશન ભારતમાં ગેરકાયદેસર રીતે અનાથાશ્રમ ચલાવી રહ્યું છે, જ્યાં આ લોકો ધર્માંતરણ અભિયાન ચલાવે છે. અમે અખિલ ભારતીય મિશન સાથે તપાસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે અમે વેબસાઈટ તપાસી તો સાઈટ બ્લોક થઈ ગઈ હતી, તેથી અમારે તપાસ અટકાવવી પડી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
