NDAનો સાથ છોડનાર ઉપેન્દ્ર કુશવાહા 'મહાગઠબંધન'માં સામેલ થયા
NDAનો સાથ છોડનાર ઉપેન્દ્ર કુશવાહા 'મહાગઠબંધન'માં સામેલ થયા
નવી દિલ્હીઃ તાજેતરમાં જ એનડીએથી અલગ થયેલ રાલોસપાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવહા મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફ્રન્સમાં શરદ યાદવ, જીતન રામ માંઝી, તેજસ્વી યાદવ, અહમદ પેટલની સાથે ઉપેન્દ્ર કુશ્વાહા પણ હાજર રહ્યા. આની સાથે જ બિહારમાં કોંગ્રેસ અને રાજદથી રાલોસપાનું ગઠબંધન થઈ ગયું છે જે આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો ફટકા સમાન થઈ શકે છે.

મહાગઠબંધનમાં સામેલ થયા કુશવાહા
બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોર્ચા અને એનડીએનો સાથે છોડી ચૂકેલ ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી (RSLSP)ના નેતા રાજધાની દિલ્હીમાં એકજુટ થયા. આ દરમિયાન શરદ યાદવે કહ્યું કે દેશમાં વિપક્ષી દળો એકજુટ થવાનું એક અભિયાન ચાલી રહ્યું છે અને આ ક્રમમાં આજે ઉપેન્દ્ર કુશવાહા મહાગઠબંધનનો ભાગ બની ગયા છે.

તેજસ્વીએ ભાજપ પર હુમલો કર્યો
આ દરમિયાન રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યું કે મહાગઠબંધને જે ફોર્મ્યુલા શરૂ કર્યો હતો, તેને રાષ્ટ્રીય સ્તર પર ભાજપ વિરુદ્ધ અમલમાં લાવવામાં આવી શકે છે. તેજસ્વીએ કહ્યું કે દેશહિતમાં ભાજપ વિરુદ્ધ, પીએમ મોદી વિરુદ્ધ આ ગઠબંધનની હકિકત બદલવી જોઈએ. તેજસ્વીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે સરકારમાં રહી પોતાના સહયોગીઓનો સામનો નથી કર્યો. બિહારમાં પણ ઉપેન્દ્ર કુશવાહાને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું છે. તેજસ્વીએ કહ્યું કે જનતાના દિલોનું ગઠબંધન છે.

કુશવાહા બોલ્યા- બિહારની જનતાના આદેશ પર આવ્યા એક મંચ પર
તેજસ્વીએ કહ્યું કે દેશની જનતા ઠગોને જવાબ આપશે. તેજસ્વીએ કહ્યું કે એનડીએએ પોતાના કેટલાય સાથીઓને ગુમાવી દીધા છે. તેજસ્વીએ રાહુલ ગાંધીને પણ મહાગઠબંધનમાં ભરોસો વ્યક્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા. ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે મહાગઠબંધનના એમના સન્માનને કાયમ રાખશે. તેમણે કહ્યું કે લાલૂ યાદવ અને રાહુલ ગાંધીએ ઉદારતાનો પરિચય આપ્યો. તેમણે કહ્યું કે બિહારની જનતાની ભાવનાઓની કદર કરતા આમની સાથે મંચ પર આવ્યા છે. તેમણે પીએમ મોદીને તેમના વાયદા યાદ અપાવ્યા. જ્યારે ત્રણ રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કરવા બદલ કુશવાહાએ રાહુલ ગાંધીના પેટ ભરીને વખાણ કર્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
