દિલ્હી હિંસાને લઈ મોદી સરકાર પર ભડક્યા રજનીકાંત, બોલ્યા- સંભાળી ના શકો તો રાજીનામું આપી દો
દિલ્હી હિંસાને લઈ મોદી સરકાર પર ભડક્યા રજનીકાંત, બોલ્યા- સંભાળી ના શકો તો રાજીનામું આપી દો
નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલ હિંસાને લઈ હવે રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. સુપરસ્ટાર રજનીકાંતે દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. રજનીકાંતે હિંસા રોકવામાં અમિત શાહને નાકામ ગણાવ્યા. દિલ્હીમાં થયેલ હિંસાને તેમણે ઈન્ટેલીજેન્સની નાકામીને જવાબદાર ઠેરવી હતી. રજનીકાંત એટલેથી જ અટક્યા નહિ અને તેમણે કહ્યું કે જો દિલ્હીને સંભાળી ના શકો તો રાજીનામું આપી દો.

હિંસા પર બોલ્યા રજનીકાંત
રજનીકાંતે કહ્યું કે આ હિંસા કેન્દ્ર સરકારના ગુપ્તચર વિભાગની નિષ્ફળતા છે. હું કેન્દ્ર સરકારની આકરી નિંદા કરું છું. રજનીકાંતે મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું કે જો હિંસાની સ્થિતિ સંભાળી નથી શકતા તો સત્તા પર જે બેઠા છે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. આ ઈન્ટેલિજેન્સની નાકામી છે. માટે ગૃહમંત્રી પણ નાકામ થયા છે. પ્રદર્શન શાંતિપૂર્ણ થઈ શકે છે, પરંતુ હિંસા ના થવી જોઈએ. જો હિંસા થાય છે તો તેની સામે કઠોરતાથી નિપટવું જોઈએ.

ભાજપ પર ભડક્યા
રજનીકાંતે કહ્યું કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ સમયે ઈન્ટેલિજેન્સે વધુ સતર્ક રહેવું જોઈતું હતું. તેમણે પોતાનું કામ સરખી રીતે નથી કર્યું. હિંસાને સખ્તાઈથી ખતમ કરી દેવી જોઈએ. અમે ઉમ્મીદ કરીએ છીએ કે આગથી તેઓ વધુ સતર્ક રહેશે. ઈન્ટેલિજેન્સ ફેલ થવાનો મતલબ કે ગૃહ મંત્રાલય ફેલ થયું છે. જો તેઓ સખ્તાઈથી નિપટી ના શકે તો તેમણે રાજીનામું આપીને ચાલ્યું જવું જોઈએ. હવે બહુ વધુ થઈ રહ્યું છે.

અત્યાર સુધી 27 લોકોના મોત
રજનીકાંતે એમ પણ કહ્યું કે વિરોધ પ્રદર્શન હિંસક ના હોવા જોઈએ અને તેમણે પોતાના એ જૂના નિવેદનને પણ યાદ કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે જો સીએએ મુસ્લિમોને પ્રભાવિત કરે છે તો તે મુસ્લિમ સાથે ઉભા છે. અભિનેતાએ મીડિયાના એક તબકા દ્વારા તેમના સંબંધ ભાજપ સાથે જોડવાને લઈ દુખ વ્યક્ત કર્યું. જણાવી દઈએ કે પૂર્વ દિલ્હીના વિસ્તારોમાં થયેલ હિંસામાં અત્યાર સુધી 27 લોકોના મોત થયાં છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
