વાંચો : ખાદ્ય સુરક્ષા વિધેયકની મહત્વની 10 જોગવાઇઓ

1 - બે તૃતિયાંશ વસ્તીને સસ્તુ અનાજ મળશે
ગામડાઓમાં 75 ટકા અને શહેરમાં 50 ટકા લોકોને દર મહિને 5 કિલો અનાજ મળશે. આ અનાજમાં ત્રણ રૂપિયે કિલો ચોખા, બે રૂપિયે કિલો ઘઉં અને એક રૂપિયે કિલોના ભાવે જુવાર મળશે. આ ભાવો 3 વર્ષ બાદ બદલવામાં આવશે.
2 - અંત્યોદય કાર્ડ ધારક પરિવારોને 35 કિલો અનાજ
અંત્યોદય કાર્ડ ધરાવતા ગરીબ પરિવારોને મહિને 35 કિલો અનાજ મળશે. તેમને ત્રણ રૂપિયે કિલો ચોખા, બે રૂપિયે કિલો ઘઉં અને એક રૂપિયે કિલોના ભાવે જુવાર મળશે.
3 - રાજ્ય ગરીબોની ઓળખાણ કરશે
રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ગરીબોની સંખ્યા આયોજન પંચ નક્કી કરશે. જ્યારે ગરીબની ઓળખાણ રાજ્ય કરશે. આ માટે તેઓ માપદંડ નક્કી કરી શકશે અથવા સામાજીક, આર્થિક અને વસ્તીગણતરીના આંકડાઓનો ઉપયોગ કરી શકશે.
4 - ગર્ભવતી મહિલાઓને માસિક 6000 રૂપિયા
પ્રત્યેક ગર્ભવતી મહિલાને રૂપિયા 6000 મળશે. છ મહિનાથી 14 વર્ષ સુધી બાળકોને રેશન કે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
5 - અનાજ નહીં મળે તો રોકડ વળતર મળશે
જો રાજ્ય સરકાર અનાજ ઉપલબ્ધ ન કરાવી શકી તો તેને ખાદ્ય સુરક્ષા ભથ્થું ગરીબોને આપવું પડશે. આ ભથ્થું કેટલું હશે તે નક્કી કરવાની જવાબદારી કેન્દ્રની હશે.
6 - ખાદ્યાન્ન પરિવહન માટે મદદ મળશે
કેન્દ્ર સરકાર રાજ્યોને તેની સરહદની અંદર અનાજની મજૂરી તથા રેશન ડીલરોને માર્જીન આપવા માટે આર્થિક સહાય ઉપલબ્ધ કરાવશે.
7 - આધાર પરથી ગરીબોની ઓળખાણ થશે
સરકાર પીડીએસને સુધારવા માટે સૂચના અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરશે તથા ગરીબોની ઓળખાણ આધાર દ્વારા કરવામાં આવશે.
8 - મહિલાના નામે રેશનકાર્ડ બનશે
પરિવારની વરિષ્ઠ મહિલા સભ્યને મોભી માનવામાં આવશે અને રેશનકાર્ડ તેના નામે જ બનશે.
9 - પીડીએસમાં ભ્રષ્ટાચાર અટકાવવા તંત્ર બનશે
પીડીએસમાં ભ્રષ્ટાચાર અટકાવવા તથા ફરીયાદ ઉકેલ માટે બધા જીલ્લાઓમાં તંત્ર સ્થાપવામાં આવશે. આમાં કોલ સેન્ટર, હેલ્પલાઇન સાથે સોશ્યલ ઓડિટની પણ જોગવાઇ છે.
10 - ખાદ્ય સુરક્ષા 1,24,724 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે
બીલની જોગવાઇ લાગૂ થવા પર 612.3 લાખ ટન અનાજની જરૂર પડશે તથા 2013-14માં આના પર 1,24,724 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનું અનુમાન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
