જાણો, કેવી રીતે લખવામાં આવી સરબજીતની મોતની સ્ક્રિપ્ટ
ભારતીય ગુપ્તચર એજન્સીઓની તપાસમાં એ સ્પષ્ટ જાણવા મળ્યું છે કે હુમાલાના દોષી કસાબને ફાંસી આપવામાં આવેલી ફાંસી બાદ સરબજીત સિંહને મારવારની રણનિતી બનાવવામાં આવી હતી. સરબજીત સિંહ પર હુમલો કરનાર મુદશર અને આમિર આફતાબ તરહરીક-એ-તાલિબાન સાથે સંકળાયેલા છે અને લશ્કર માટે કામ કરે છે.
બંને 2005 અને 2009થી ગંભીર કેસમાં આ જેલમાં બંધ છે. રિપોર્ટમાં એમપણ કહેવામાં આવે અફજલ ગુરૂની ફાંસીની સજા બાદ તાલિબાને લશ્કર પર દબાણ વધાર્યું કે સરબજીત પર હુમલો કરાવવામાં આવે.
એ વાતની સંભાવના વ્યક્ત કરાવવામાં આવી રહી છે કે પાકિસ્તાનમાં ચુંટણી બાદ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ ત્યાં જવાના હતા અને આ દરમિયાન સરબજીત સિંહની મુક્તિ પર વિચાર કરવામાં આવી શકત.
પાકિસ્તાનની હૂકૂમત એક રીતે લાચાર અને ઢીલી-ઢાલી છે. સ્પષ્ટ છે કે આ સમયને પસંદ કરવામાં લશ્કર અને તહરીક-એ-તાલિબાનના આકાઓએ મોડું ના કર્યું અને કોટ લખપત જેલમાં બંધ પોતાના લોકોને અંજામ આપવાના નિર્દેશ આપ્યા.
કોણે કરાવ્યો હુમલો?
સરબજીત સિંહ પર હુમલાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ સ્વિકાર્યું છે કે તેમને જેલ સુપરિન્ટેન્ડેટના કહેવા પર આ ભારતીય કેદી પર હુમલો કર્યો હતો, જ્યારે લાહોરના ડીઆઇજીએ પોતાના રિપોર્ટમાં આ હુમલાની કારણ અચાનક કેદીઓ વચ્ચે બદલાની ભાવનાથી થયેલી હાથાપાઇ ગણાવી છે.
અગાઉથી ઘડેલું કાવતરું
આ દરમિયાન એવા સમાચાર મળ્યા કે સરબજીત સિંહ પર હુમલો લશ્કર-એ-તોઇબાની સમજી વિચારેલું કાવતરું હતું.
ભારતીય ગુપ્તચર એજન્સીઓની ગોપનિય રિપોર્ટમાં આ ખુલાસો કર્યો. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં લાહોરના ડીઆઇજીના રિપોર્ટને નકારી કાઢ્યો.
પાકિસ્તાને જાણકારી છુપાવી
પાકિસ્તાન સતત સરબજીત સિંહ વિશે જાણકારી છુપાવી રહ્યું છે. જિન્ના હોસ્પિટલના ડોક્ટરોએ પહેલાં સરબજીતને 'બ્રેન ડેડ' જાહેર કર્યો પછી થોડા કલાકો બાદ સ્પષ્ટતા રજૂ કરી કે સરબજીત 'બ્રેન ડેડ' નથી.
પાકિસ્તાન પર પહેલાંથી એવો શક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તે સરબજીત સિંહના મોત અંગે કંઇક છુપાવે છે.
મંગળવારે એસસી-એસટી કમીશનના અધ્યક્ષ રાજકુમાર વીરકાએ જણાવ્યું કે તેમની દલબીર કૌર સાથે વાતચીત થઇ છે. ડોક્ટરોએ તેમને સરબજીત 'બ્રેન ડેડ' હોવાની જાણકારી આપી છે.
સરબજીત સિંહના વકીલના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ પુછ્યું કે શું સરબજીતને વેંટિલેટરથી હટાવવામાં આવે તો પરિવારજનોએ ના કહ્યું હતું. સરબજીતને વેન્ટિલેટર પર જ રાખવામાં આવે. આવા સમયે જો પરિવાર વેંટિલેટરથી હટાવવાની પરવાનગી આપી છે તો સરબજીતની મોતનું એલાન થઇ શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
