વૈદિક શિક્ષણ માટે બોર્ડ બનાવવાની રેસમાં રામદેવ, ભર્યુ ફોર્મ
યોગ ગુરુ રામદેવની સંસ્થા પતંજલિ યોગપીઠે વૈદિક શિક્ષણ માટે દેશના પહેલા રાષ્ટ્રીય વિદ્યાલય બોર્ડની સ્થાપનામાં પોતાનો રસ જાહેર કર્યો છે.
યોગ ગુરુ રામદેવની સંસ્થા પતંજલિ યોગપીઠે વૈદિક શિક્ષણ માટે દેશના પહેલા રાષ્ટ્રીય વિદ્યાલય બોર્ડની સ્થાપનામાં પોતાનો રસ જાહેર કર્યો છે. આના માટે ભારતીય શિક્ષણ પરિષદ મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાને ફોર્મ મંગાવ્યા છે. રામદેવની સંસ્થાએ બોર્ડની રચનામાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદવિદ્યાલય પ્રતિષ્ઠાન (એમએસઆરવીપી)એ 11 ફેબ્રુઆરીએ ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપના માટે ફોર્મ મંગાવ્યા હતા જેની અંતિમ તારીખ 19 ફેબ્રુઆરી હતી.

શું ભણાવવામાં આવશે
સંસ્થાની વેબસાઈટ અનુસાર પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ એ તમામ સંસ્થાઓમાં શામેલ છે કે જે બોર્ડની સ્થાપનાના ઈચ્છુક છે. આ બોર્ડ મુખ્ય રીતે યજ્ઞ, ઓર્ગેનિક ખેતી, ગૌમૂત્ર, યોગ અને આયુર્વેદ વગેરે વિષયો પર રિસર્ચ અને આ તમામ વિષયોનું શિક્ષણ આપશે. રામદેવ ઉપરાંત આ સંસ્થાના ટ્રસ્ટી આચાર્ય બાલકૃષ્ણ, સ્વામી મુક્તાનંદ અને શંકરદેવ છે. એમએસઆરવીપીને એ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે કે જે ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપના માટે ખાનગી સંસ્થાઓના ફોર્મ સ્વીકાર કરશે. એમએસઆરવીપી સંપૂર્ણપણે સ્વતંત્ર સંસ્થા છે જેને એચઆરડી મંત્રાલય વેદવિદ્યાને આગળ વધારવા પ્રોત્સાહિત કરી રહ્યુ છે.

શું છે વૈદિક બોર્ડ
આ બોર્ડ ભારતની પારંપરિક જાણકારીનું શિક્ષણ આપશે જેમાં મુખ્ય રીતે વૈદિક શિક્ષણ, શાસ્ત્ર અને દર્શનનું શિક્ષણ વગેરે શામેલ છે. આમાં પાઠ્યક્રમમાં પરીક્ષા, સર્ટિફિકેટ આપવા, ગુરુકુળને માન્યતા આપવી અને શાળાઓ તેમજ પાઠશાળાઓમાં વૈદિક શિક્ષણ અને આધુનિક શિક્ષણ પૂરુ પાડવાનું શામેલ છે. સીબીએસઈ બોર્ડ આની સંબદ્ધતા માટે શાળોઓ પાસેથી ફી તેમજ પરીક્ષા ફી લેશે.

પહેલા ફગાવી દીધો હતો પ્રસ્તાવ
તમને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા સ્મૃતિ ઈરાનની આગેવાનીમાં એચઆરડી મંત્રાલયે વૈદિક શિક્ષણ બોર્ડ બનાવવાના રામદેવના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તે સમયે મંત્રાલયે કહ્યુ હતુ કે સરકાર એક ખાનગી સ્કૂલ બોર્ડને કેવી રીતે માન્યતા આપશે. હાલમાં સમયમાં કેન્દ્ર સરકાર કોઈ પણ ખાનગી સ્કૂલ બોર્ડને માન્યતા આપતી નથી. અત્યાર સુધી એમએસઆરવીપીને કુલ 3 ફોર્મ મળ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
