જેએનયૂ જવા પર બોલ્યા બાબા રામદેવ- તેમણે મારા જેવો સલાહકાર રાખી લેવો જોઈએ
જેએનયૂ જવા પર બોલ્યા બાબા રામદેવ- તેમણે મારા જેવો સલાહકાર રાખી લેવો જોઈએ
ઈન્દોરઃ જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં થયેલ હિંસા બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણ અહીં પહોંચી ગઈ હતી. તેમણે અહીં આવી ઘાયલ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત પણ કરી. પરંતુ આવી રીતે તેમનું જેએનયૂ પ્રદર્શનમાં સામેલ થવું ઘણા લોકોને પસંદ નથી આવ્યું. આ મામલે રાજનીતિમાં ગરમાવો થવા લાગ્યો છે. જેના પર કેટલાય નેતાઓના નિવેદન પણ આવ્યાં છે. આ બધાની વચ્ચે હવે યોગ ગુરુ રામદેવ બાબાએ દીપિકાને સલાહ આપી છે.

સલાહકાર રાખી લેવા જોઈએ
રામદેવે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓને સાચી સમજ હાંસલ કરવા માટે દીપિકા પાદુકોણે મારા જેવો કોઈ સલાહકાર રાખી લેવો જોઈએ. જણાવી દઈએ કે દીપિકાના જેએનયૂ જવા બાદથી તેમની ફિલ્મ છપાકનો પણ ઘણો વિરોધ થઈ રહ્યો છે. લોકોએ ફિલ્મ ના જોવા સુધીની પણ વાત કહી છે.

દેશ વિશે વધુ વાંચવું સમજવું જોઈએ
પીટીઆઈ સાથેની વાતચીતમાં રામદેવે કહ્યું કે અભિનયની દ્રષ્ટિથી દીપિકામાં કુશળતા થવી અલગ વાત છે. પરંતુ તેમણે સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓનું જ્ઞાન હાંસલ કરવા માટે દેશ વિશે વધુ વાંચવું સમજવું પડશે. તેમણે આ સમજ પણ હાંસલ કર્યા બાદ જ મોટા નિર્ણય લેવા જોઈએ. આના માટે તેમણે સ્વામી રામદેવ જેવા કોઈ સલાહકાર રાખી લેવા જોઈએ.

લોકો આગ લગાવી રહ્યા છે
રામદેવે નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં કહ્યું કે, જે લોકોને સીએએનું ફુલ ફોર્મ પણ ખબર નથી તેઓ વડાપ્રધાન માટે આ મામલે અપશબ્દ બોલી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કહી ચૂક્યા છે કે આ એક્ટ કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવવા માટે નથી, બલકે નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યો છે. છતાં લોકો આગ લગાવતા જઈ રહ્યા છે.

એસિડ અટેક સર્વાઈવર પર ફિલ્મ
ઉલ્લેખનીય છે કે એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ ચૂકી છે, જેમાં દીપિકાએ લક્ષ્મીનો કેરેક્ટર નિભાવ્યો છે. આ ફિલ્મમાં દીપિકાનું નામ માલતી છે. અભિનેતા વિક્રાંત મૈસી દીપિકાની અપોઝિટમાં છે, જેમણે લક્ષ્મીના રિયલ લાઈફ પાર્ટનર આલોક દીક્ષિતનો રોલ નિભાવ્યો છે. અગાઉ છપાકના નિર્દેશક મેઘના ગુલજાર પણ આ વાત બોલી ચૂક્યા છે કે જેએનયૂ જવું દીપિકાનો અંગત ફેસલો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
