...તો સંસદમાં કાનૂન બનાવી રામ મંદિરનું નિર્માણ કરીશુ: કેશવ પ્રસાદ મૌર્ય
વર્ષ 2019 લોકસભા ઈલેક્શન પહેલા દેશમાં રામમંદિર મુદ્દો ફરી એકવાર ગરમ થઇ રહ્યો છે.
વર્ષ 2019 લોકસભા ઈલેક્શન પહેલા દેશમાં રામમંદિર મુદ્દો ફરી એકવાર ગરમ થઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું કે સંસદમાં કાનૂન બનાવી રામ મંદિરનું નિર્માણ કરવાનો વિકલ્પ ખુલ્લો છે. પત્રકારો સાથે વાતચીત કરતા કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામ મંદિર મુદ્દો હાલમાં સુપ્રીમકોર્ટમાં છે અને તેમને ન્યાયાલય પર પૂરો વિશ્વાસ છે. તેમને જણાવ્યું કે દેશના કરોડો લોકો અયોધ્યામાં મંદિર બનતું જોવા માંગે છે અને ભાજપા માટે આ આસ્થાનો મહત્વનો વિષય છે.
વાંચો: મને ગોળી મારવી હોય તો મારી દો પરંતુ અયોધ્યામાં રામમંદિર તો બનાવીને જ રહીશઃ તોગડિયા

રામ મંદિર અંગે ત્રીજો વિકલ્પ ખુલ્લો છે
રામ મંદિર અંગે પૂછવામાં આવેલા સવાલ અંગે કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકોને વિશ્વાસ છે કે સુપ્રિમકોર્ટનો જલ્દી ચુકાદો આવશે અને રામ મંદિર નિર્માણમાં આવનારી અડચણો જલ્દી દૂર થશે. રામ મંદિર અંગે જલ્દી ચુકાદો આવશે અથવા વાતચીત માધ્યમ ઘ્વારા કોઈ રસ્તો કાઢવામાં આવશે. અમારી સામે સંસદમાં કાનૂન બનાવવાનો રસ્તો પણ ખુલ્લો છે.

રાજ્યસભામાં અમારી પાસે બહુમત નથી
યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યસભામાં અમારી પાસે બહુમત નથી. જો રાજ્યમાં સરકાર પાસે બહુમત હોત તો અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવાનો રસ્તો ખુલ્લો હતો. તેમને જણાવ્યું કે હાલમાં અમારી પાસે બહુમત નથી એટલા માટે આવું કરવું સંભવ નથી. કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામમંદિર મુદ્દો હાલમાં સુપ્રીમકોર્ટમાં છે અને તેમને ન્યાયાલય પર પૂરો વિશ્વાસ છે.

રામમંદિર પર સમર્થન નહીં મળે
કેશવ પ્રસાદ મૌર્યને જયારે પૂછવામાં આવ્યું કે બહુમત નહીં હોવા છતાં એસસી/એસટી બિલ અને ઓબીસી સંબંધિત બિલ રાજ્યસભામાં પાસ કરાવી દીધું તો રામમંદિર પણ કેમ સમસ્યા આવી રહી છે. તેના પર કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે બંને મુદ્દાઓ અલગ અલગ છે. એસસી/એસટી બિલ અને ઓબીસી સંબંધિત બિલ પર બીજી પાર્ટીઓ ઘ્વારા સમર્થન મળી ગયું હતું, પરંતુ રામ મંદિર મુદ્દે બીજી પાર્ટીઓ સમર્થન નહીં કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
