રાજીવ ગાંધી હત્યાકાંડ: મહત્વના પુરાવા દબાવી દેવાયા હતા

રાગોથામને એક પુસ્તક લખ્યું છે. પોતાના પુસ્તકમાં તે લખે છે કે આ ગુમ થયેલા વિડીયો અંગે તપાસ થઇ હતી પરંતુ સ્પેશિયલ ઇનવેસ્ટિગેશન ટીમના પ્રમુખ ડી.આર. કાર્તિકેયને એમ.કે નારાયણને છોડી દિધા. નારાયણ તે સમયે પશ્વિમ બંગાળના રાજ્યપાલ હતા.
તાજેતરમાં છપાયેલ પુસ્તકનું નામ છે 'કંસ્પિરેસી ટુ કિલ રાજીવ ગાંધી- ફ્રોમ સીબીઆઇ ફાઇલ્સ'. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે તે વિડીયો ટેમને આઇબીએ જ હત્યાના એક દિવસ પહેલાં એક કેમેરામેન પાસેથી મેળવી હતી. પરંતુ રાજીવ ગાંધી હત્યાકાંડની તપાસ કરી રહેલી ટીમને ક્યારેય આ ટેપ આપવામાં આવી નથી. 21 મે 1991માં તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
રાગોથામને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ' હત્યારાઓની ટુકડી લગભગ અઢી કલાક સુધી સુરક્ષિત વિસ્તારોમાં ફરતી રહી. તે લોકો તેમના ટાર્ગેટના આવવાની રાહ જોઇ રહ્યાં હતા'. પછી તમિલનાડુ પોલીસે દાવો કર્યો હતો કે રાજીવ ગાંધીની હત્યા બાદ ધનુ સુરક્ષિત વિસ્તારમાં ઘુસી ગઇ હતી. જો વિડીયો આપવામાં આવ્યો હોત તો પોલીસનો આ દાવો ખોટો પુરવાર સાબિત થાત.
જે ટેપ તમિલનાડુ પોલીસે મેળવી છે તેનો અંદાજ દૂરદર્શનના સમાચારોમાં બતાવતાં વિડીયો જેવો હતો. રાગોથામન કહે છે કે આઇબીના અધિકારીઓને મળેલી ટેપ અસલી હતી અને પોલીસને અલગ ટેપ આપવામાં આવી હતી.
રાગોથામનનો દાવો છે કે આ પુરાવાઓને દબાવવાનો હેતુ કોંગ્રેસને કોઇપણ રીતે શર્મિદગીથી બચાવવાનો હતો, કારણ કે 1991ની લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી. રાગોથામન પોતાના પુસ્તકમાં પૂછે છે કે 'નારાયણ રાજીવ ગાંધી પરિવારના ગમે તેટલા ખાસ રહ્યાં હોય, શું તે કોંગ્રેસ પાર્ટીના લક્ષ્યને નુકસાન પહોંચાડવાની હિંમત કરી શકતા હતા ?
રાગોથામન કહે છે કે નારાયણ પર પુરાવા સંતાડવાના આરોપમાં આઇપીસી કલમ 201 હેઠળ કેસ બને છે, પરંતુ શરૂઆતી તપાસ કરવા છતાં આ કેસને દબાવવામાં આવ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
