નવા રેલ મંત્રી પિયુષ ગોયલે બોલાવી બેઠક, સુરક્ષા અંગે થઇ ચર્ચા
રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા સુરક્ષાના મુદ્દે રેલવે બોર્ડના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી.
રેલવે મંત્રી પિયુષ ગોયલે રેલવે બોર્ડ અને રેલવે સલામતી નિયામક કચેરીના સભ્યોની એક ઝડપી બેઠક બોલાવી હતી, જેમાં રેલગાડીની કામગીરી અને સુરક્ષા ધોરણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરક્ષાના મુદ્દે એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. નજીકના ભૂતકાળામાં ઘટેલ રેલવે દુર્ઘટનાઓ, તેની પાછળના કારણોનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું અને તેને આધારે સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં રેલવે મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરક્ષા સર્વોચ્ચ મુદ્દો છે અને આ બાબતે કોઇ પણ જાતનું સમાધાન થવું ન જોઇએ.

આ બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર, રેલવે દુર્ઘટનાઓ માટે મુખ્ય બે કારણો જવાબદાર છે.
- વર્ષ 2016-17માં થયેલ અકસ્માતો માટે 34% માનવરહિત સ્તરના ક્રોસિંગ જવાબદાર છે.
- ખામીયુક્ત રેલવે ટ્રેકને કારણે ગાડી પાટા પરથી ઉતરી જાય છે.
નજીકના ભૂતકાળામાં ગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક દુર્ઘટના ઘટી હતી. આથી આ બેઠકમાં ગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે થતા અકસ્માતોની સંખ્યા કઇ રીતે ઘટાડવી એની પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. રેલવે મંત્રી તરફથી રેલવે બોર્ડને સુરક્ષાની ખાતરી માટે નીચે મુજબના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ યોજનાના વ્યવસ્થિત અમલ માટે રેલવે મંત્રી દ્વારા રેલવે બોર્ડને નિયમિત નિરિક્ષણ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
- અત્યારથી લઇને એક વર્ષના સમયગાળાની અંદર તમામ માનવરહિત સ્તરના ક્રોસિંગ બને એટલી ઝડપથી દૂર કરવામાં આવે. પહેલાં "સ્પીડ, સ્કિલ એન્ડ સ્કેલ"ના મંત્ર સાથે આ કામ 3 વર્ષની અંદર પૂર્ણ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું, પરંતુ હવે 1 વર્ષથી પણ ઓછા સમયની અંદર આ કામ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.
- રેલવે ટ્રેકના નવીનીકરણ અને રિપ્લેસમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવે તથા દુર્ઘટનાથી અસરગ્રસ્ત વિસ્તારો જ્યાં ટ્રેકનું રિપ્લેસમેન્ટ બાકી છે, ત્યાં બને એટલી જલ્દી કામ પૂર્ણ કરવામાં આવે. ઉપયોગ માટે નિર્ધારિત પાટાઓનો ઉપયોગ પણ આ સ્થળોએ નવી લાઇનના નિર્માણ માટે કરવામાં આવે.
- નવા પાટાની ખરીદી પણ ઝડપથી અને મોટા પાયે કરવામાં આવે, જેથી નવી લાઇનનું નિર્માણ કામ જલ્દી પૂર્ણ થાય.
- પારંપરીક આઈસીએફ કોચનું નિર્માણકામ તાત્કાલિક બંધ કરવામાં આવે અને માત્ર નવી ડિઝાઇનના એલએચબી કોચનું જ નિર્માણ કરવામાં આવે.
- લોકોમેટિવમાં એન્ટિ-ફોગ એલઈડી લાઇટ્સ લગાવવામાં આવે, જેથી ધુમ્મસના વાતાવરણમાં રેલગાડીના સંચાલનમાં કોઇ તકલીફ ન આવે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
