રેલવે ટૂંક સમયમાં રેલવે નૂર અને મુસાફરી ભાડા વધારશે
નવી દિલ્હી, 4 ઓક્ટોબર : મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાએ આગામી સમયમાં તેમના બજેટમાં બોજો વધે તે માટે તૈયારી રાખશે. ભારતીય રેલવે ટૂંક સમયમાં રેલવે નૂર અને મુસાફરી ભાડામાં વધારો કરી શકે એમ છે. આ બાબતે રેલવે પ્રધાન મલ્લિકાર્જુન ખર્ગેએ જણાવ્યું હતું કે રેલવેનાં ભાડાંમાં વધારો કરવાની દરખાસ્ત ચકાસણી હેઠળ છે. રેલવે ભાડામાં વધારા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
ખર્ગેએ વધુમાં જણાવ્યું કે 'બજેટમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોમ્પોનન્ટ (એફએસી)ની જાહેરાત કરવામાં આવી હતી અને બજેટની દરખાસ્તનો પહેલી ઑક્ટોબરથી અમલ થવો જોઈએ. એફએસી દરખાસ્ત ધરાવતી ફાઈલ મારી પાસે આવી છે અને હું તેની તપાસ કરી રહ્યો છું, આ બાબતનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે'.

એક સમારંભમાંથી પરત ફરતા પત્રકારોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું કે પેસેન્જર સેગમેન્ટમાં થયેલા નુકસાનમાં ઘટાડો કરવા માટે નજીકના ભવિષ્યમાં પેસેન્જર અને નૂરનાં ભાડાંમાં એફએસી સંબંધી પુનરાવલોકન કરાશે. હું તપાસી રહ્યો છું. જેવા અમે કોઈ નિર્ણય પર આવીશું તેવા જ અમે કોઈ નિર્ણય કરીશું.
બજેટના પ્રસ્તાવ અનુસાર બળતણના ઘટક (ફ્યુઅલ કોમ્પોનન્ટ)ને ટેરિફથી એફએસી તરીકે નોખું પાડી દેવામાં આવ્યું છે. થનારા ખર્ચ અને બજારની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને રેલવે દર છ મહિને પેસેન્જર અને નૂરનાં ભાડાંમાં સુધારો કરે એવી ધારણા છે. બળતણના ભાવમાં અને સમગ્ર સંચાલનના ખર્ચમાં વધારો થવાને પગલે રેલવેને આવતા ત્રણ મહિના 1200 કરોડ રૂપિયાનો બોજ સહન કરવો પડશે. પેસેન્જર સેવાની ક્રોસ-સબસિડી વર્ષે 26,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
તત્કાલિન રેલવેપ્રધાન પવનકુમાર બંસલે પહેલી એપ્રિલથી માત્ર નૂરનાં ભાડાંમાં એફએસી અનુસાર પુનરાવલોકન કરવાની જાહેરાત કરી હતી. પેસેન્જર ભાડાંમાં આ વર્ષનાં જાન્યુઆરીમાં જ સુધારો કરવામાં આવ્યો હતો એટલે તેમાં કશો સુધારો કરવાનો રહેતો નથી. રેલવેએ નિર્ણય કર્યો હતો કે બળતણના ભાવમાં થયેલા 850 કરોડ રૂપિયાના વધારાનો બોજ પેસેન્જરોની કેડે નાખવો નથી અને તેનો મેળ બેસાડવામાં આવ્યો હતો. રેલેવેએ તાજેતરમાં પહેલી ઑક્ટોબરથી દરેક કૉમોડિટીઓ પર બિઝી સિઝન ચાર્જ લાગુ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
