Opposition Leader in Lok Sabha: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Leader of Opposition in Lok Sabha: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે, આ નિર્ણય મંગળવારે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
આ જાહેરાત કરતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સીપીપી પ્રમુખે પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને પત્ર લખીને તેમને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની નિમણૂક કરવાના નિર્ણયની જાણકારી આપી છે.
પ્રોટેમ સ્પીકરને લખ્યો પત્ર - વાસ્તવમાં, મંગળવારે (25 જૂન) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષના ઈન્ડિયા બ્લોકની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધીને વિરોધ પક્ષના નેતા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિપક્ષના નેતા માટે પ્રોટેમ સ્પીકરને પણ પત્ર લખવામાં આવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, 18મી લોકસભામાં, જનતાનું ગૃહ સાચા અર્થમાં છેલ્લા માણસની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરશે, રાહુલ ગાંધી તેમનો અવાજ બનશે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે, મને વિશ્વાસ છે કે, કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મહારાષ્ટ્ર સુધી, દેશના ખૂણે ખૂણે પ્રવાસ કરનાર નેતા ખાસ કરીને વંચિત અને ગરીબ લોકોનો અવાજ ઉઠાવશે.
રાહુલ ગાંધીને લઈને થઈ રહી હતી માંગ - ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પાર્ટી નેતાઓએ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની માંગ ઉઠાવી હતી. આ સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની માંગ સર્વાનુમતે પુનરોચ્ચાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત પણ પસાર કરવામાં આવી હતી.
#WATCH | Congress general secretary KC Venugopal says "Congress MP Rahul Gandhi has been appointed as the LoP in the Lok Sabha.." pic.twitter.com/llhssszwAV
— ANI (@ANI) June 25, 2024
CWCની બેઠકમાં પ્રસ્તાવ પાસ થયો - આવી સ્થિતિમાં હવે નેતાઓ અને ગઠબંધન પક્ષોનું સન્માન કરીને રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા જ્યારે વિપક્ષના નેતા માટે તેમના નામનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાસે આ અંગે વિચારવા માટે સમય માંગ્યો હતો.
સાંસદ તરીકે લીધા શપથ - આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ રાયબરેલીથી સાંસદ તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન તેમણે સંવિધાન હાથમાં લઈને શપથ લીધા હતા. તેમજ અંતે તેમણે જય હિન્દ અને જય સંવિધાન સાથે શપથ પુરા કર્યા હતા.
In the 18th Lok Sabha, the House of the People shall truly reflect the aspirations of the last person standing, with Shri @RahulGandhi becoming their voice.
— Mallikarjun Kharge (@kharge) June 25, 2024
As Congress President, I am confident that a leader who has traversed the length and breadth of the country from…
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
