કાનપુરની ઘટના મુદ્દે રાહુલ ગાંધીએ યોગી સરકાર પર નિશાન સાધ્યુ, કહ્યું - બુલડોઝર અમાનવીયતાથી આંધળું થયુ
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, જ્યારે સત્તાનો ઘમંડ લોકોનો જીવવાનો અધિકાર છીનવી લે છે ત્યારે તેને સરમુખત્યારશાહી કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, કાનપુરની ઘટનાથી તેમનું મન વ્યથિત છે.
નવી દિલ્હી : સોમવારે યુપીના કાનપુરમાં જમીન પર અતિક્રમણ હટાવવા પહોંચેલી અધિકારીઓની ટીમ સામે જ માતા-પુત્રીએ પોતાની જાતને આગ લગાવી દેતા તેમના મોત થયા છે. ઘર છીનવાઈ જવાના ડરથી માતા-પુત્રીએ ઝૂંપડામાં આગ લગાવી દીધી હતી. આ વખતે એસડીએમ સાથે પહોંચેલી ટીમ અતિક્રમણ હટાવવા પહોંચી હતી. હવે રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કાનપુરમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન માતા-પુત્રીના કથિત આત્મદાહને લઈને ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, જ્યારે સત્તાનો ઘમંડ વધે છે ત્યારે તેને તાનાશાહી કહેવાય છે, લોકોને જીવવાનો અધિકાર છે, જે તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે.
આ મુ્દે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે, અમાનવીયતાથી આંધળા બનેલાનું બુલડોઝર સંવેદનશીલતા માટે ખતરો બની ગયું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, જ્યારે સત્તાનો ઘમંડ લોકોનો જીવવાનો અધિકાર છીનવી લે છે ત્યારે તેને સરમુખત્યારશાહી કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, કાનપુરની ઘટનાથી તેમનું મન વ્યથિત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
