આરએસએસના વિચારો અરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવાઃ રાહુલ ગાંધી
જર્મની બાદ લંડન પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે.
જર્મની બાદ લંડન પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે. આરએસએસ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ કે આરએસએસ ભારતની પ્રકૃતિને બદલવાની કોશિશ કરી રહ્યુ છે. અન્ય પક્ષોએ ભારતની સંસ્થાઓ પર કબ્જો કરવા માટે ક્યારેય હુમલો નથી કર્યો. આરએસએસના વિચારો આરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવા છે. 1947 માં પશ્ચિમને ભારત પર ભરોસો નહોતો. પરંતુ ભારતે પશ્ચિમને ખોટુ સાબિત કરી દીધુ. અમને સફળતા એટલા માટે મળી કારણકે હજારો લોકોએ સંસ્થાઓનું નિર્માણ કર્યુ અને આ એ જ સંસ્થાઓ છે જેના પર આજે હુમલા થઈ રહ્યા છે.

નોટબંધીનો વિચાર આરએસએસમાંથી આવ્યો અને પ્રધાનમંત્રીના દિમાગમાં બેસાડી દેવામાં આવ્યો
રાહુલે કહ્યુ કે જો તમે દેશના ઢાંચાનું ઉંડાણ સમજો તો તમે સંતુલિત તાકાતનો ઉપયોગ કરશો. પરંતુ દેશમાં આવુ નથી થઈ રહ્યુ. નોટબંધીનો વિચાર નાણામંત્રી અને આરબીઆઈને નજરઅંદાજ કરીને સીધો આરએસએસમાંથી આવ્યો અને પ્રધાનમંત્રીના દિમાગમાં બેસાડી દેવામાં આવ્યો. રાહુલ ગાંધીને ડોકલામ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે મારી પાસે આ અંગે વધુ વિગતો નથી. એટલા માટે હું તેના પર ટિપ્પણી નહિ કરુ. ડોકલામ કોઈ અલગ મુદ્દો નથી. આ એક બાદ એક બનતી ઘટનાઓનો હિસ્સો હતો, આ એક પ્રક્રિયા હતી. પ્રધાનમંત્રીજી ડોકલામને માત્ર એક ઘટના રુપ જુએ છે. જો તેમણે ધ્યાનથી આખી પ્રક્રિયાને જોઈ હોત તો તે તેને રોકી શકતા હતા. હકીકત એ છે કે ચીની આજે પણ ડોકલામમાં હાજર છે.

ભારતમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઘણુ શક્તિશાળી છે
રાહુલ ગાંધીએ કહ્યુ કે ચીન પાસેથી આપણે એક વસ્તુ એ શીખી શકીએ કે સ્થાનિક સરકારો સિસ્ટમને કેવી રીતે ચલાવે છે. ભારતમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઘણુ શક્તિશાળી છે. વેપારી જગતને પ્રધાનમંત્રી મોદીથી ઘણી આશા હતી. પરંતુ આજે ભારતના વેપાર જગત પર સીબીઆઈ, ઈડીનું ભારે દબાણ છે.

વિદેશમંત્રી વિઝા આપવામાં વ્યસ્ત
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સત્તાના કેન્દ્રીકરણનો પણ આરોપ લગાવ્યો. રાહુલે કહ્યુ કે છેલ્લા ચાર વર્ષોમાં મોટા સ્તરે સત્તાનું કેન્દ્રીકરણ થયુ છે. પીએમઓનો વિદેશ મંત્રાલયમાં હસ્તક્ષેપ છે. વિદેશ મંત્રી પાસે કોઈ કામ નથી એટલા માટે તે લોકોને વિઝા આપવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યુ કે ભારતમાં ત્યારે જ વિકાસ થાય છે જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
