લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં રાહુલે નેતાઓ અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી
નવી દિલ્હી, 27 ડિસેમ્બર: તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી પોતાની પાર્ટીની ભૂંડી હાર બાદ પ્રથમ વખત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટોચના નેતાઓ અને કોંગ્રેસ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રણનીતિક બેઠક કરી જેમાં પાર્ટીએ સંપૂર્ણ જુસ્સા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાને લઇને જોર આપવામાં આવ્યું હતું.
આજે સવારે શરૂ થયેલી આ એક દિવસીય બેઠકમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓની સો ટકા હાજરી રહી હતી જેમાં એ કે એંટની, સુશીલ કુમાર શિંદે, પી ચિંદમ્બરમ, અહેમદ પટેલ, જયરામ રમેશ, દિગ્વિજય સિંહ, જનાર્દન દ્રિવેદી, કપિલ સિબ્બલ અને કે બી થોમસે ભાગ લીધો હતો.
દિલ્હી અને રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસ હાલમાં ફક્ત 12 રાજ્યોમાં બચી છે. જેમાં મણિપુર, મિઝોરમ, અસમ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ. હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, અરૂણાચલ પ્રદેશ, કેરલ અને મેધાલયનો સમાવેશ થાય છે.
તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી મળેલી હારને ધ્યાનમાં રાખતાં પાર્ટી તે રાજ્યોમાં પોતાની પકડ બનાવવા માટે રણનિતી બનાવવા માટે ઇચ્છુક છે જ્યાં તે હાલમાં સત્તામાં છે. ચૂંટણીની રણનિતી તૈયાર કરવા માટે મુખ્યમંત્રીઓની આ બેઠક કોંગ્રેસના વોર રૂમના નામે પરિચિત 15 ગુરૂદ્વારા રકાબગંજમાં શરૂ થયેલી. બેઠકમાં લોકપાલ અને લોકાયુક્ત બિલને પારિત કર્યા બાદ પાર્ટીની આગળની રણનિતી પર ચર્ચા કરવામાં આવશે. મોંઘવારીના મુદ્દે અને તેના પર કાબૂ મેળવવા માટેના ઉપાયો અને સાથે જ ખાદ્ય સુરક્ષાના મુદ્દે વિસ્તાર પૂર્વક ચર્ચા થશે.

દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોંઘવારીનો એક મુદ્દો જણાવતાં કહ્યું હતું કે બની શકે કે પાર્ટીની હાર પાછળ આ પણ એક કારણ હોય શકે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભ્રષ્ટાચારના મુદ્દે પાર્ટીને મંચ પર અને સાથે જ સાર્વજનિક મંચ પર ઉપાડે છે. 21 ડિસેમ્બરના રોજ ફિક્કીના એક સંમેલનમાં તેમને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદ્દો છે અને આ લોકોનું ખૂન ચૂસે છે.
મુખ્યમંત્રીઓની આ બેઠક કોંગ્રેસ મહાસમિતિની 17 જાન્યુઆરીના રોજ થનારી બેઠક પહેલાં થઇ રહી છે. મહાસમિતિની આ બેઠકમાં પાર્ટીની ભવિષ્યની રણનિતી પર ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રીઓ અને કેન્દ્રિય નેતાઓ ઉપરાંત આજની બેઠકમાં એઆઇસીસીના રાજ્યોના પ્રભારી મહાસચિવ પણ ભાગ લઇ રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
