રાહુલ ગાંધી પર વરસ્યા જેટલી, કહ્યું- રાફેલ ડીલ રદ નહિ થાય
રાહુલ ગાંધી પર વરસ્યા જેટલી, કહ્યું- રાફેલ ડીલ રદ નહિ થાય
નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી વધી રહી છે. પહેલા જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે દેશનો ચોકીદાર ચોર છે. જેના પર પલટવાર કરતા રક્ષામંત્રી નિર્મલા સીતારમને જવાબમાં ગાંધી પરિવારને જ ચોર ગણાવી દીધો. પરંતુ હવે નાણામંત્રી અરુણ જેટલી આ મામલે કૂદી પડ્યા છે અને રાહુલ ગાંધીને આડેહાથ લીધા. જેટલીએ કહ્યું કે, લોકો સાથે જોડાયેલા મુદ્દા લાફ્ટર ચેલેન્જ નથી, તમે ક્યારેક કોઈને ગળે લગાવી લો, આંખ મારો પછી ખોટા નિવેદનો 10 વાર દેતા રહો.

ફ્રાંસના પૂર્વ પ્રેસિડન્ટ પર સવાલ
નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે લોકતંત્રમાં પ્રહાર થાય છે, પરંતુ વાણી એવી હોવી જોઈએ જેમા બુદ્ધિ દેખાય. જેટલીએ કહ્યું કે મને એ વાતમાં કોઈ શંકા નહિ હોય જો આ આખો મામલો પહેલેથી જ ઉપજાવેલો હશે. જેટલીએ કહ્યું કે 30 ઓગસ્ટે રાહુલ ગાંધીએ ટ્વીટ કરે છે કે ફ્રાંસની અંદર કેટલાક બોમ્બ ચાલશે. એમને કઈ રીતે ખબર કે આવું નિવેદન આવનાર છે. ત્યારે મનમાં પ્રશ્ન ઉઠે છે. જેટલીએ કહ્યું કે ભારતીય વાયુસેનાને 36 એરક્રાફ્ટ મળનાર હતાં, જો અમારી પાસે રાફેલ જેવાં જહાજ હોત તો કારગિલનું ઓપરેશન બે દિવસમાં ખતમ થઈ ગયું હોત. પરંતુ એ સમયે ઓપરેશન ખતમ કરવામાં 3 મહિના લાગી ગયા હતા. આ તે જહાજ છે જે બારતીય વાયુસેનાની તાકાત બનશે.

20 ટકા સસ્તી પડી ડીલ
રાહુલના આંકડા પર પલટવાર કરતા અરુણ જેટલીએ કહ્યું કે બાળકોના આંકડા નથી જેને સ્કૂલની અંદર જોડવામાં આવે. 2007માં ડે ઑફર આવી એને ચલણના બદલાવના સ્તર સાથે જોડવામાં આવી, 2016માં વિમાન 2007ની સરખામણીએ ઓછા છે. આ અંગેના અમારા આંકડા સીએજીની સામે છે. કોંગ્રેસના આરોપો પર જેટલીએ કહ્યું કે સીક્રેસી કોન્ટ્રાક્ટ ફ્રાંસ સાથે થયો કે નહિ એ ખુદ મનમોહન સિંહ અને એન્ટનીએ જણાવવું જોઈએ.













Click it and Unblock the Notifications
