રાયબરેલી કે વાયનાડ, એક નહીં છોડે તો બંન્ને ગુમાવશે રાહુલ ગાંધી, જાણો શું છે નિયમ?
Rahul Gandhi: નિર્ણયની ઘડી હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ટકી રહી છે. તેમની પાસે આવતીકાલનો એક જ દિવસ બાકી છે. તેમણે રાયબરેલી અને વાયનાડ વચ્ચે એક સીટ પસંદ કરવી પડશે. વાસ્તવમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને લોકસભા બેઠકો પરથી જીત્યા છે.
રાહુલ ગાંધી રાયબરેલીથી 3 લાખ 90 હજાર મતોથી અને વાયનાડથી 3 લાખ 64 હજાર મતોથી જીત્યા હતા. નિયમો અનુસાર રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડમાંથી એક-એક સીટ છોડવી પડશે. ચૂંટણી પરિણામોના 14 દિવસમાં બેમાંથી એક બેઠક ખાલી કરવાનો નિયમ છે.
જો 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું નહીં આપવામાં આવે, તો બંને બેઠકો ખાલી ગણવામાં આવશે. એટલે કે રાહુલ ગાંધીએ 18 જૂન સુધીમાં રાયબરેલી અથવા વાયનાડમાંથી એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે.
જો કોઈપણ સભ્ય રાજીનામું આપવા માંગે છે, તો તેણે પોતાનું રાજીનામું લેખિતમાં લોકસભાના અધ્યક્ષને સોંપવું પડશે. સભ્યના રાજીનામાના 6 મહિનામાં તે બેઠક પરથી પેટા ચૂંટણી યોજવાની જોગવાઈ છે. રાહુલ ગાંધીના કાર્યાલયે લોકસભા સચિવાલયમાંથી આ અંગેની તમામ માહિતી લીધી છે.

લોકસભાના મહાસચિવ રાજીનામું સ્વીકારે તે પછી તેને લોકસભાના બુલેટિન અથવા ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે, અને તેની એક નકલ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. તે પછી, ચૂંટણી પંચ તે બેઠકને ખાલી ગણશે, અને ત્યાં ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડી શકે છે, અને ત્યાં યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીના નામની અટકળો ચાલી રહી છે, જોકે, તેઓ ત્યાંથી ચૂંટણી લડશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.
ચૂંટણી પહેલા રાહુલ ગાંધી વાયનાડ સીટથી લોકસભાના સભ્ય હતા. 2024માં તેઓ એ જ સીટ પરથી ફરીથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે. તેઓ રાયબરેલીથી પણ જીત્યા હતા, જે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છે.
રાયબરેલી બેઠકનું પ્રતિનિધિત્વ છેલ્લે તેમની માતા સોનિયા ગાંધીએ કર્યું હતું. આ વખતે તેણીએ લોકસભાની ચૂંટણી લડી ન હતી, પરંતુ રાજ્યસભાની સભ્ય બની હતી.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પોતાના મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ મૂંઝવણમાં છે કે, કઈ સીટ રાખવી અને કઈ છોડવી, પરંતુ જે પણ નિર્ણય લેવામાં આવશે, તે બધાને ખુશી થશે.
જે બાદથી એવી અટકળો શરૂ થઈ હતી કે, તે પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. કાલપેટ્ટામાં જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે સુધાકરણ દ્વારા તેમના નિવેદનની પુષ્ટિ કરવામાં આવી હતી કે, રાહુલ ગાંધી પક્ષના હિતમાં વાયનાડ બેઠક ખાલી કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
