ધર્મ સંસદ: સશસ્ત્ર દળોના 5 પૂર્વ પ્રમુખોએ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીને લખી ચિઠ્ઠી
તાજેતરમાં હરિદ્વારમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામેલ કેટલાક વક્તાઓએ લઘુમતીઓની ટીકા કરી હતી. તેમના નરસંહાર માટે આહ્વાન કર્યું હતુ. ત્યારથી આ મામલાને લઈને રાજકારણ ચાલી રહ્યું હતું, પરંતુ હવે સશસ્ત્ર દળ
તાજેતરમાં હરિદ્વારમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામેલ કેટલાક વક્તાઓએ લઘુમતીઓની ટીકા કરી હતી. તેમના નરસંહાર માટે આહ્વાન કર્યું હતુ. ત્યારથી આ મામલાને લઈને રાજકારણ ચાલી રહ્યું હતું, પરંતુ હવે સશસ્ત્ર દળોના પાંચ ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ, નોકરિયાતો સહિત લગભગ 100 લોકોએ આ મામલે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યા છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે હરિદ્વારમાં 17 થી 19 ડિસેમ્બર દરમિયાન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સાધુઓ અને આગેવાનોએ પ્રવચનો આપ્યા હતા. આ દરમિયાન મુસ્લિમો અને લઘુમતીઓના નરસંહારની હાકલ કરવામાં આવી હતી, જેના કારણે અમને દુઃખ થયું છે. આ સિવાય ધર્મ સંસદમાં સતત ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત થતી રહી, જે યોગ્ય નથી. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે હિંસા માટે આવા આહ્વાનથી સમાજમાં આંતરિક રીતે વિસંગતતા પેદા થઈ શકે છે. આ સાથે તે બાહ્ય શક્તિઓ (દુશ્મનોને) પણ પ્રોત્સાહિત કરશે.
પત્ર લખનારાઓ અનુસાર, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)માં તમામ ધર્મના લોકો એકતામાં રહે છે. આવી સ્થિતિમાં આવા કોલની તેમના પર ખરાબ અસર પડશે. તેમજ અન્ય સમુદાય સામે હિંસા ઉશ્કેરવી એ સંસ્કારી સમાજના ધોરણોની વિરુદ્ધ છે. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેના વક્તાઓ તેમના નિવેદન પર અડગ છે.
સંત કાલીચરણની ધરપકડ
આ ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ છત્તીસગઢમાં સંત કાલીચરણ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી રાયપુર પોલીસ ખજુરાહો પહોંચી અને તેમની ધરપકડ કરી હતી. હવે તે બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. તે જ સમયે, હરિદ્વાર પોલીસે પણ આ મામલે કેસ નોંધ્યો છે, પરંતુ હજુ સુધી તેમાં કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ







Click it and Unblock the Notifications
