Punjab News : રાજ્ય સરકારોને કામ નથી દેતી કેન્દ્ર સરકાર - CM ભગવંત માન
Punjab News : પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર તાનાશાહી કરવાનો આરોપ લગાવ્યો છે.
CM ભગવંત માનના જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિદેશમાં ભારતના સૌથી મોટો લોકશાહી દેશ હોવાનો દાવો કરી રહ્યા છે. તો અન્ય તરફ રાજ્ય સરકારને કામ ન કરવા દેવામાં આવતું નથી. આ સાથે તેમણે તમામ વિપક્ષી પાર્ટીઓને એક થઇને કેન્દ્રના ઓર્ડિનેન્સને રાજ્યસભામાં અટકાવવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સભ્યો રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ, કેબિનેટ મંત્રી આતિશી, 23 મેના રોજ કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કેન્દ્રના વટહુકમનો વિરોધ કરવા માટે મળ્યા હતા.
TMC રાજ્યસભામાં બિલનો વિરોધ કરશે - મમતા બેનર્જીએ એ પણ ખાતરી આપી હતી કે, જો રાજ્યસભામાં વટહુકમ બિલના રૂપમાં આવશે, તો TMC તેનો સંપૂર્ણ વિરોધ કરશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, તમામ વિપક્ષી દળો સાથે મળીને બિલને રાજ્યસભામાં છોડી શકે છે. કેજરીવાલે કહ્યું કે, જો બિલને પડતું મુકવામાં આવે, તો તે 2024ની સેમીફાઈનલ હશે. દેશે હવે આવી અહંકારી સરકારને જાકારો આપી દેવો જોઈએ.
દેશ માટે ખતરારૂપ છે ભાજપ - CM ભગવંત માને જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે દેશ માટે ખતરો ઉભો કર્યો છે. જ્યારે દેશ રહેશે, ત્યારે જ તમામ પક્ષો અસ્તિત્વમાં રહેશે. તેના પર સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્રનો વટહુકમ દિલ્હી સરકારની વિરુદ્ધ છે.
કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની સત્તા છીનવી લીધી - AAP સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, વર્ષ 2015માં પહેલીવાર દિલ્હીમાં AAPની સરકાર બની હતી. તે દરમિયાન કેન્દ્ર સરકારે એક અધિસૂચના પસાર કરીને દિલ્હીની ચૂંટાયેલી સરકારની તમામ સત્તાઓ છીનવી લીધી કે, કોઈ અધિકારીની બદલી કે પોસ્ટિંગ કરી શકાશે નહીં. ખોટું કામ કરવા બદલ અધિકારી સામે શિસ્તભંગના પગલાં લઈ શકાય નહીં.
કેજરીવાલે જણાવ્યું હતું કે, 8 વર્ષના સંઘર્ષ બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં AAP સરકારની તરફેણમાં આદેશ આપ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને માત્ર એક સપ્તાહ બાદ જ વટહુકમ લાવીને ઉલટાવી દીધો, જે દિવસે સુપ્રીમ કોર્ટ વેકેશન પર જવાનો સમય હતો.
રાજ્ય સરકારોને 3 રીતે પરેશાન કરી રહી છે - અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને ત્રણ રીતે પરેશાન કરી રહી છે.
પહેલું - જ્યાં ભાજપની સરકાર નથી બની, ત્યાં તેઓ ધારાસભ્યોને ખરીદીને સરકારને પછાડે છે.
બીજું - ED અને CBIનો ઉપયોગ કરીને તેઓ અન્ય પક્ષોના ધારાસભ્યોને ડરાવી-ધમકાવીને તેમને તોડીને ભાજપની સરકાર બનાવે છે.
ત્રીજું - જ્યાં ભાજપની સરકાર નથી બની ત્યાં બિન-ભાજપ સરકારને કાયદાનો દુરુપયોગ કરીને અને વટહુકમ પસાર કરીને કામ કરવા દેવામાં આવતું નથી.
તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે પશ્ચિમ બંગાળ, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણામાં રાજ્ય સરકારોને રાજ્યપાલ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
