પંજાબ સરકારનો દાવો- બોર્ડર એરીયામાં ગેરકાયદે ખનન પર સંપૂર્ણ રોક લગાવાઇ, હાઇકોર્ટમાં આપ્યો જવાબ
પંજાબ સરકારે સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે ભારતીય સેનાએ પંજાબના સરહદી જિલ્લાઓમાં 'ગેરકાયદેસર ખનન'ના કારણે સરહદ પારથી ઘૂસણખોરીની ચિંતા વ્યક્ત કર્યા બાદ રાજ્ય સરકારે
પંજાબ સરકારે સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે ભારતીય સેનાએ પંજાબના સરહદી જિલ્લાઓમાં 'ગેરકાયદેસર ખનન'ના કારણે સરહદ પારથી ઘૂસણખોરીની ચિંતા વ્યક્ત કર્યા બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે આંતરરાષ્ટ્રીય સરહદના 1 કિ.મી. અંદર કાયદેસર ખનનની મંજૂરી આપવામાં આવશે નહીં.

પંજાબ સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય સરહદના 1 કિમીની અંદર કોઈ પણ કાયદાકીય માઈનિંગ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડરથી 2 કિમીની અંદર કોઈ સ્ક્રીનિંગ-કમ વોશિંગ પ્લાન્ટ અથવા સ્ટોન ક્રશરને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહી.
સેનાએ પહેલા પણ હાઈકોર્ટને કહ્યું હતું કે ગેરકાયદેસર ખનનને કારણે દેશની સુરક્ષા સામે ખતરો છે. આ ખનનને કારણે સરહદી બંકરોને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. આટલું જ નહીં, સૈનિકોનું કહેવું છે કે આ ગેરકાયદેસર ખનનને કારણે પાણીનો પ્રવાહ પણ બદલાઈ શકે છે, જેના કારણે પૂરનું જોખમ પણ છે. આજના સમયમાં ઘણા લોકો ગેરકાયદે ખનન સાથે જોડાયા છે, જેના કારણે તેમને રોકવું મુશ્કેલ બની ગયું છે.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે પઠાણકોટ, ગુરદાસપુર અને અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ખાણકામ પ્રવૃત્તિઓને મર્યાદિત કરવા માટે સેના અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યએ ગુરબીર પન્નુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પંજાબ સરકારને જળ સંસાધન, ખાણ અને ભૂસ્તર વિભાગના અગ્ર સચિવ કૃષ્ણ કુમાર દ્વારા સોગંદનામું સુપરત કર્યું છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
