પંજાબ સરકારે પૂરુ કર્યુ વચન, શહીદ ખેડૂતોના પરિવારને જાહેર કરી 5 લાખની આર્થિક મદદ
મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોને આપેલા વચન પર મોટો નિર્ણય લીધો છે.
ચંદીગઢઃ પંજાબમાં સત્તામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી પોતાના વચનો પૂરા કરવા માટે સતત કામ કરી રહી છે. આ ક્રમમાં હવે મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોને આપેલા વચન પર મોટો નિર્ણય લીધો છે. ખેડૂત આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના પરિવારજનો માટે 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે પંજાબ ભવનમાં મળેલી બેઠકમાં ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ માંગણી મૂકી હતી. આ પછી સીએમ ભગવંત માને ત્રણ દિવસમાં આર્થિક મદદની રકમ જાહેર કરી.

વાસ્તવમાં, થોડા દિવસો પહેલા જ્યારે રાજ્ય સરકારે પંજાબ ભવનમાં ખેડૂતો સાથે બેઠક કરી હતી ત્યારે ખેડૂતોએ આ માંગ કરી હતી. આના પર મુખ્યમંત્રી માન પણ તૈયાર થયા અને 3 દિવસમાં આર્થિક મદદની રકમ જાહેર કરી. અત્યાર સુધીમાં 789 ખેડૂત પરિવારોને આ રકમ આપવામાં આવી છે. પંજાબ સરકારે રૂ.39.55 કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી માન 3 ઓગસ્ટે ખેડૂત સંગઠનોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી હતી ત્યારબાદ ખેડૂત નેતાઓએ 3 ઓગસ્ટે તેમના પ્રસ્તાવિત આંદોલનને સ્થગિત કરી દીધુ હતુ. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ભગવંત માને કહ્યુ હતુ કે હું ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છુ અને મારા કાર્યકાળ દરમિયાન ખેડૂતોને તેમની વાજબી માંગણીઓ માટે દેખાવો કરવા પડશે નહિ. તેમણે કહ્યુ હતુ કે ખેડૂત આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના આશ્રિતોને નોકરી આપવાની પ્રક્રિયા પહેલેથી જ ચાલી રહી છે અને શહીદ ખેડૂતોના પરિજનોને બાકીની રાહત અને વળતર ટૂંક સમયમાં મળી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
