પંજાબઃ ખેડૂતોને પાકનુ વળતર આપવા માટે આમ આદમી પાર્ટીની સરકાર અપનાવશે હવે આ યોજના
પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર આગામી નાણાકીય વર્ષથી કેન્દ્રની પાક વીમા યોજનામાં જોડાવા માટે સંમત થઈ છે.
ચંદીગઢઃ અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ને ફગાવી દીધા બાદ હવે પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર આગામી નાણાકીય વર્ષથી કેન્દ્રની પાક વીમા યોજનામાં જોડાવા માટે સંમત થઈ છે. ખરાબ હવામાન અને કપાસ પર જીવાતોના હુમલાને કારણે પંજાબના ખેડૂતોને સતત બે વર્ષથી પાકને નુકસાન થયુ છે. જેના કારણે શાસક સરકારને ખેડૂતોને વળતર તરીકે રૂ. 1500 કરોડ ચૂકવવાની ફરજ પડી છે. જેના કારણે સરકાર હવે આ દિશામાં પગલા ભરવા તૈયાર છે. જેના કારણે શાસક સરકારને ખેડૂતોને વળતર તરીકે રૂ. 1500 કરોડ ચૂકવવાની ફરજ પડી છે. જેના કારણે સરકાર હવે આ દિશામાં પગલા ભરવા તૈયાર છે.

PMFBY હેઠળ, ખેડૂતો રવિ પાક માટે વીમાની રકમના 1.5% અને ખરીફ પાક માટે 2% પ્રીમિયમ તરીકે ચૂકવે છે. બાકીનુ પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવે છે. હાલમાં કોઈપણ પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને નિશ્ચિત મર્યાદાના આધારે પ્રતિ એકર રૂ. 2,000 થી રૂ. 12,000 ની વચ્ચે વળતર મળે છે. આ નાણાનો ઉપયોગ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી કરવામાં આવે છે.
પંજાબમાં પાકનું નુકસાન ત્રણ વર્ષ પહેલાં સુધી ક્યારેય 5 ટકાથી વધી ગયુ ન હતુ પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી ડાંગર (બાસમતી અને બિન-બાસમતી બંને) અને કપાસમાં પાકનુ નુકસાન 15 ટકાને વટાવી ગયુ છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓ દાવો કરે છે કે છેલ્લા બે વર્ષમાં કપાસના ઉત્પાદકો કે જેમનો પાક લાર્વા અથવા સફેદ માખીના હુમલાથી નાશ પામ્યો હતો. છેલ્લા બે વર્ષમાં કપાસના ખેડૂતોને રૂ. 700 કરોડનું વળતર આપવામાં આવ્યું છે જેમનો પાક બોલવોર્મ અથવા સફેદ માખીના હુમલાથી નાશ પામ્યો હતો. રાજ્યના કૃષિ નિયામક ગુરવિંદર સિંહે કહ્યું કે આવી સ્થિતિમાં રાજ્ય સરકાર આખરે PMFBY અપનાવશે.
ઉલ્લેખનીય છે કે આ યોજના કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને પંજાબ મુખ્યત્વે તેનો વિરોધ કરી રહ્યું હતું કારણ કે આ યોજના સિંચાઈ અને બિન-સિંચાઈવાળા વિસ્તારોને વળતર માટે જોડતી હતી. આ સિવાય 40 ટકા પાકને નુકસાન થાય તો જ રાહત આપવાની હતી. તે પ્રીમિયમની ગણતરી માટે સામાન્ય પાકની ઉપજનો અંદાજ કાઢવા માટે 10-વર્ષના ડેટાનો પણ ઉપયોગ કરે છે. અગાઉની કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન, રાજ્યએ તેની પાક વીમા યોજના પણ તૈયાર કરી હતી, પરંતુ તે સફળ થઈ શકી ન હતી.
અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર હવે તમામ ડેટા ઓનલાઈન એકત્રિત કરશે, ડિજિટલ લેન્ડ રેકોર્ડ અને સેટેલાઇટ ઈમેજરીનો ઉપયોગ કરીને પાકના નુકસાનનું મૂલ્યાંકન કરશે. તેલંગાણા, ગુજરાત અને બિહાર જેવાં કેટલાંય રાજ્યો કે જેમણે PMFBY ને નાપસંદ કર્યું હતું તેઓ હવે આવતા નાણાકીય વર્ષથી આ યોજનામાં જોડાવા ઇચ્છુક છે કારણ કે કેન્દ્ર નવી યોજના શરૂ કરવા માટે સંમત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
