પંજાબના નાણા પ્રધાને માન્યો GST કાઉન્સિલનો આભાર, કહી આ વાત
પંજાબના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ શનિવારના રોજ પેન્સિલ શાર્પનર પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાની રાજ્યની માંગણી સ્વીકારવા બદલ GST કાઉન્સિલનો આભાર માન્યો હતો.
પંજાબના નાણપ્રધાન મંત્રી હરપાલસિંહ ચીમાના શનિવારના રોજ પેન્સિલ શાર્પનર પર જીએસટીને 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાની પંજાબ સરકારની માંગને સ્વીકારવાને કારણે જીએસટી કાઉન્સિલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની 49મી બેઠકમાં ભાગ લેતા સમયે હરપાલસિંહ ચીમાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને થોડી રાહત મળશે.

અત્રે નોંધનીય છે કે, હરપાલસિંહ ચીમાએ 17 ડિસેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા GST કાઉન્સિલની 48મી બેઠકમાં ભાગ લેતી વખતે પેન્સિલ શાર્પનર્સ પર GST વધારીને 12 ટકાના હાલના સ્લેબને બદલે 18 ટકા કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
પંજાબના નાણામંત્રીએ જૂન 2022 માટે GST વળતરની સમગ્ર બાકી ચૂકવણીને મંજૂર કરવાનો નિર્ણય લેવા બદલ GST કાઉન્સિલનો આભાર માન્યો. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર દ્વારા કરવામાં આવેલા નક્કર અને સતત પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. આ નિર્ણયથી રાજ્યને જૂન 2022ના GST વળતર તરીકે 995 કરોડ રૂપિયા મેળવવામાં મદદ મળશે.
GST ટ્રિબ્યુનલના મુદ્દે નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાને બદલે દેશના સંઘીય માળખાને મજબૂત કરવા માટે આ સત્તા રાજ્યોને આપવી જોઈએ. ભારત એક મોટો દેશ છે અને દરેક રાજ્યને પોતાના પડકારો છે.
પંજાબના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે ટ્રિબ્યુનલ બનાવવાને બદલે, દરેક રાજ્યની પોતાની ટ્રિબ્યુનલ હોવી જોઈએ, જેથી કરીને GST સંબંધિત મુદ્દાઓને વધુ સારી રીતે અને ઝડપથી ઉકેલી શકાય. ટ્રિબ્યુનલ માટે રાજ્ય સભ્યની પસંદગી પણ રાજ્ય દ્વારા નક્કી થવી જોઈએ. રાજ્ય સરકાર તેની ટિપ્પણીઓ માટે GST કાયદામાં સુધારાના અંતિમ ડ્રાફ્ટનો અભ્યાસ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
