પંજાબમાં નહેરોના નવીનીકરણ માટે CM માને કેન્દ્ર સરકાર પાસે માંગ્યુ આર્થિક પેકેજ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેનાલ પ્રોજેક્ટના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક પેકેજની માંગ કરી છે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેનાલ પ્રોજેક્ટના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક પેકેજની માંગ કરી છે. આ માટે મુખ્યમંત્રી કેન્દ્રીય જલ શક્તિ મંત્રીને મળ્યા હતા. જ્યાં તેમણે લુધિયાણાના બુઢા નાલા પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર પાસે મદદ પણ માંગી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે મુલાકાત દરમિયાન પંજાબમાં નહેર વ્યવસ્થાપનના નવીનીકરણ માટે વિશેષ ભંડોળ ફાળવવાની માંગ કરી હતી.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે આઝાદી પહેલા બનેલી અપર બારી દોઆબ કેનાલ (UBDC) હવે ખરાબ હાલતમાં છે. જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભગવંત માને કેન્દ્રીય મંત્રીને કહ્યુ કે આઝાદી બાદ બનેલી કેનાલોને પણ મજબૂત અને નવીનીકરણ કરવાની જરૂર છે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યને વિશેષ પેકેજ આપવું જોઈએ. ભગવંત માને કહ્યું કે આનાથી નહેરોની પાણીની ક્ષમતા વધારવામાં મદદ મળશે અને રાજ્યના ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ભગવંત માનને સંપૂર્ણ સહયોગ અને સંકલનનું આશ્વાસન આપ્યુ હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પંજાબ સરકારની માંગણીઓ પર વિચાર કરશે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને એ પણ જણાવ્યુ કે રાજ્ય સરકારે સતલજ નદીની ઉપનદી બુઢા નાલાની સફાઈનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે લુધિયાણા જિલ્લામાંથી પસાર થતી નદીની લગભગ સમાંતર વહે છે અને અંતે નદીમાં ભળી જાય છે. નાળાની કુલ લંબાઈ 47.55 કિલોમીટર છે. જેમાંથી 14 કિલોમીટર લુધિયાણા શહેરમાંથી પસાર થાય છે અને શહેરને બે ભાગમાં વહેંચે છે. ભગવંત માને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ નાળાની સફાઈ માટે રૂ.850 કરોડનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં નવા એસટીપી અને સીઈટીપીના નિર્માણ ઉપરાંત હાલના નાળાઓના અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. તેમણે કેન્દ્રીય મંત્રીને કહ્યુ કે આ પ્રોજેક્ટનુ 54 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે અને તે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. ભગવંત માને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે નવી ટેક્નોલોજી લાવવા આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારને મદદ કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
