પંજાબમાં હવે કોઈ ગેંગસ્ટર 'આકા' નથી, હું 2.75 કરોડ વસ્તીની સુરક્ષાની ગેરેન્ટી લઉ છુઃ CM માન
સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના આરોપી બે ગેંગસ્ટરને પોલિસ અને સ્પેશિયલ કમાન્ડોએ ઠાર માર્યા છે. આ ઘટના પર પંજાબના સીએમ ભગવંત માનનુ નિવેદન આવ્યુ છે.
અમૃતસરઃ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના આરોપી બે ગેંગસ્ટરને પોલિસ અને સ્પેશિયલ કમાન્ડોએ ઠાર માર્યા છે. તેમનુ એન્કાઉન્ટર લગભગ 4 કલાક ચાલ્યુ હતુ. આ દરમિયાન કેટલાક પોલિસકર્મીઓ સહિત એક પત્રકાર પણ ઘાયલ થયા હતા. જો કે, સારી વાત એ હતી કે જવાબી કાર્યવાહીમાં બંને ગુંડાઓ માર્યા ગયા હતા. આ ઘટના પર પંજાબના સીએમ ભગવંત માનનુ નિવેદન આવ્યુ છે.

આજે સીએમ ભગવંત માને કહ્યુ કે અમૃતસરના એક ગામમાં ગઈકાલે થયેલા એન્કાઉન્ટરનુ લાઈવ મીડિયા કવરેજ કરવામાં આવ્યુ હતુ. હું પંજાબના લોકોને ખાતરી આપવા માંગુ છુ કે અમારી સરકાર દરેક પંજાબીની સુરક્ષા કરશે. મારી સરકારમાં કોઈ ગેંગસ્ટર 'આકા' નહિ હોય. જે કોઈ ગુનો કરશે તેને સજા થશે. ગુંડાઓને બક્ષવામાં આવશે નહિ.
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી ગેંગસ્ટરોના એન્કાઉન્ટર પર સીએમએ કહ્યુ કે આપણા બહાદુર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને હત્યારાઓને મારી નાખ્યા. હું જવાનોની હિંમતની પ્રશંસા કરુ છુ. આ એન્કાઉન્ટરને અંજામ આપનાર પુરુષ અને મહિલા પોલીસકર્મીઓને હું અભિનંદન આપુ છું. સાથે જ કહુ છુ કે હું 2.75 કરોડ (પંજાબની) વસ્તીની સુરક્ષાની ખાતરી આપુ છું. આ મારી જવાબદારી છે.
સીએમએ કહ્યુ, 'પોલિસ અધિકારીઓએ મને કહ્યુ કે ગઈકાલે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર શાર્પશૂટર હતા. પહેલા તેમની ઓળખ થઈ અને પછી એંટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે તેમનો પીછો કર્યો. તેમને અમૃતસરના એક ગામમાં ટ્રેસ કરવામાં આવ્યા હતા. તેમને આત્મસમર્પણ કરવાનુ કહેવામાં આવ્યુ પરંતુ તેઓએ ગોળીબાર શરૂ કરી દીધો. તેમની પાસે એકે-47 પણ હતી. અમારા જવાનો ખૂબ જ બહાદુરી સાથે તેમની સામે લડ્યા અને તેઓ અંતે માર્યા ગયા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
