પંજાબના CM ભગવંત માને લીધી પઠાનકોટની મુલાકાત, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વર્તમાન દિવસોમાં તેઓ ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીની રેલીઓમાં વ્યસ્ત છે. આ વચ્ચે આજે પઠાનકોટ આવ્યા હતા, પરંતુ અહિંયા ભગવંત માન ચૂંટણીના મુડમાં જોવા મળ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વર્તમાન દિવસોમાં તેઓ ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીની રેલીઓમાં વ્યસ્ત છે. આ વચ્ચે આજે પઠાનકોટ આવ્યા હતા, પરંતુ અહિંયા ભગવંત માન ચૂંટણીના મુડમાં જોવા મળ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હિમાચલ અને ગુજરાતના બહાને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભગવંત માને જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવાનો અર્થ એ નથી કે તમે દૂધાના ધોયેલા છો. લોકોના હક માટે જે પૈસા ઉઠાવ્યા છે, તે તમામ રકમ ધ્યાનમાં લેવામાં આવશે. કાનવન દાના મંડીની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા ભગવંત માને પૂર્વ મંત્રી શામ સુંદર અરોરા પર કટાક્ષ કર્યો હતો.
પૂર્વ મંત્રી શામ સુંદર અરોરા પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હાલ ભાજપમાં ગયા છે, પરંતુ સરકાર તેમની પાસેથી દરેક પૈસાનો હિસાબ લેવાનું ચાલુ રાખશે. અરોરાના ઘરેથી એટલા પૈસા મળ્યા છે કે, તેને ગણવા માટે મશીન લેવું પડ્યું હતું.
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, માન સરકાર ભ્રષ્ટાચારને બિલકુલ સાંખી લેશે નહીં. કોઈને પણ આ કરવા દેવામાં આવશે નહીં. ભૂતકાળમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા દ્વારા મુખ્યમંત્રી પર સરકારી ભંડોળના ઉપયોગ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ પણ હિમાચલ પ્રદેશ ગયા છે. તે પોતાના વિશે કેમ નથી કહેતા?
ભગવંત માને જણાવ્યું હતું કે, આ બધું સાબિત કરે છે કે, કોંગ્રેસના નેતાઓ સંપૂર્ણપણે ચોંકી ગયા છે. તે પોતાના ધારાસભ્યોને સંભાળવામાં અસમર્થ છે. ગોવામાં તેમના ધારાસભ્યો વેચાયા હતા. મધ્યપ્રદેશમાં સરકાર ગઈ છે અને તે અન્ય પક્ષોની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે. તેમણે પોતાની જાત પર એક નજર નાખવી જોઈએ અને પછી બીજાઓ પર કાદવ ઉછાળવો જોઈએ.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, દેશમાં આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપની લડાઈ સીધી AAP સાથે છે. ગુજરાતની જનતા AAPની તરફેણમાં જનાદેશ આપીને સાબિત કરશે કે, AAP રાષ્ટ્રીય પાર્ટી બની છે. હિમાચલ પ્રદેશમાં પણ પાર્ટી વધુ સારું પ્રદર્શન કરશે. આ સાથે માનને આશા છે કે, તે બંને રાજ્યોમાં આપ જીતના વિજયપતાકા લહેરાવશે. આ દરમિયાન તેમની સાથે કેબિનેટ મંત્રી લાલચંદ કટારુચક, AAP નેતા વિભૂતિ શર્મા અને અમિત સિંહ મન્ટુ પણ હાજર હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
